અત્યાર સુધીની સૌથી ડરામણી ભવિષ્યવાણી, શનિનો મીનમાં પ્રવેશ ખુબ વિનાશકારી અને ઘાતક, ભારત માટે જાણો શું ચિંતાજનક

બાબા વેંગા, નાસ્ત્રેદમસ સહિત અને ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. એવી જ ભવિષ્યમાલિકાની ભવિષ્યવાણીઓ પણ ખુબ જાણીતી છે. જાણો એવું તે શું ચિતાજનક છે જેના લીધે લોકો દહેશતમાં છે. 

અત્યાર સુધીની સૌથી ડરામણી ભવિષ્યવાણી, શનિનો મીનમાં પ્રવેશ ખુબ વિનાશકારી અને ઘાતક, ભારત માટે જાણો શું ચિંતાજનક

29 માર્ચ 2025ના રોજ શનિએ ગોચર કરીને કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કર્યો. મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ નેક મોટા ફેરફાર લોકોના જીવનમાં જોવા મળી શકે છે. જ્યારે રાજકીય અને સામાજિક સ્તર ઉપર પણ આ ગોચરની અસર પડશે. શનિ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિના ગોચરને જ્યોતિષમાં ખુબ મહત્વ આપવામાં આવે છે. શનિના ગોચર અંગે ભવિષ્યમાલિકા પુરાણમાં પણ અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે. 

તેનાથી દુનિયામાં આ ગોચરની અસર અને આ સમય દરમિયાન તૃતીય વિશ્વયુદ્ધથી લઈને મહાપ્રલય સુધીની ભવિષ્યવાણીઓ કરાઈ છે. ભવિષ્યમાલિકા મુજબ શનિના મીન રાશિમાં ગોચર દરમિયાન દેશ દુનિયામાં અનેક વિનાશકારી ઘટનાઓ ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ ભવિષ્યમાલિકામાં લખેલી કેટલીક ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. 

શું છે ભવિષ્યમાલિકા
એવું માનવામાં આવે છે કે લગભગ 600 વર્ષ પહેલા પાંચ સંતોના સમૂહે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વ્યાખ્યા કરી હતી. અચ્યુતાનંદ દાસ, અનંત દાસ, જસવંત દાસ, જગન્નાથ દાસ અને બલરામ દાસ જેવા પાંચ સંતોને પંચસખા કહેવામાં આવતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ આ પંચસખાને પોતાના પાંચ શિષ્યો માન્યા હતા અને તેમને પંચ આત્મા કહીને બોલાવ્યા હતા. આ પાંચ સંતોના સમૂહોએ હિન્દુ પ્રાચીન ગ્રંથોને સંસ્કૃતથી ઉડિયા ભાષામાં અનુવાદ કર્યો હતો. 

સાચી પડી હતી કેટલીક ભવિષ્યવાણીઓ!
ભવિષ્યમાલિકામાં એક વિદેશી શક્તિના ભારત પર શાસનનો ઉલ્લેખ હતો, જે ધીરેધીરે સમગ્ર દેશને પોતાના કંટ્રોલમાં કરશે. આ ભવિષ્યવાણી 18મી અને 19મી સદીમાં સત્ય ઠરી હતી તે સમયે ભારત પર બ્રિટિશ શાસનનું આધિપત્ય હતું. આ સાથે જ તેમાં એમ પણ લખ્યું હતું કે ભારતના લોકો આ વિદેશી શાસન વિરુદ્ધ સંઘર્ષ કરશે અને સ્વતંત્રતા મેળવશે. એ પણ સાચું પડ્યું અને ભારતે 1947માં સ્વતંત્રતા મેળવી. 

ભવિષ્યમાલિકામાં લખ્યું હતું કે એક સંત સમાન વ્યક્તિ કોઈ પણ હથિયાર વગર પોતાના વિચારોના માધ્યમથી દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ ભવિષ્યવાણી મહાત્મા ગાંધી સ્વરૂપે સાચી ઠરી. ભવિષ્યમાલિકામાં કોરોના વાયરસ, ગ્લોબલ વોર્મિંગ વગેરે માટે પણ ભવિષ્યવાણી કરેલી છે જે સાચી પડી છે. 

ક્યારે થશે ત્રીજુ વિશ્વયુદ્ધ
ભવિષ્યમાલિકા મુજબ જ્યારે શનિ મીન રાશિમાં હશે અને પુરી અંતિમ રાજા ગજપતિ મહારાજ હશે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે ઓડિસાના રાજા દિવ્યસિંહ ગજબપતિના કાળમાં ગગન ગાદી સંભાળશે ત્યારે સમુદ્રમાં જગન્નાથ મંદિર ડૂબી જશે. હાલ દિવ્યસિંહ કી ગજપતિ મહારાજા છે અને ગગન મંદિરમાં સેવકની ભૂમિકામાં છે. 

ભવિષ્યમાલિકા મુજબ જ્યારે શનિ મીન રાશિમાં હશે તે સમય દેશ દુનિયા માટે ખુબ ઘાતક હશે. 2025માં ત્રીજા વિશ્વયુદ્ધના પહેલા તબક્કાની શરૂઆત થઈ શકે છે. જો કે તેનો પાયો પહેલેથી જ મૂકાઈ ચૂક્યો હશે. લોકો તેને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ગાઝા વોર સાથે પણ જોડે છે. વર્ષ 2025થી લઈને 2027 વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સમય આકાશ આગ ઓકશે, એટલે કે ગરમી ખુબ વધી જશે. આ સમય દરમિયાન ભારતમાં પણ ગૃહ યુદ્ધ છેડાશે. આગચંપીની ઘટનાઓ ઘટશે. સાંપ્રદાયિક હિંસાના મામલા સામે આવશે જેનાથી સમગ્ર દેશમાં અવ્યવસ્થા જોવા મળશે.

કુદરતી આફતો વધશે
ભવિષ્યમાલિકા મુજબ મીન રાશિમાં શનિ આવવાથી કુદરતી આફતો વધશે. દુનિયાના અનેક વિસ્તારોમાં દુષ્કાળ  પડશે. પાક નષ્ટ થશે, ભૂખમરો જોવા મળશે. દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થશે. અનેક જગ્યાઓ પર પુર પણ આવી શકે છે  જેના કારણે પાક ખરાબ થઈ શકે. લોકો એકબીજાના લોહી  તરસ્યા બની જશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news