અચાનક કરોડપતિ બની જાય છે આ તારીખોમાં જન્મેલા લોકો, કોથળા ભરી ભરીને થાય છે ધનની વર્ષા!

Numerology Mulank 4: અંકશાસ્ત્ર અનુસાર મૂળ નંબર 4 વાળા લોકો મહત્વાકાંક્ષી, બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે. તેઓ તેમની કારકિર્દી અને જીવનમાં આગળ વધવા અને તેમના પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરવા માટે જોખમ લેવાથી ડરતા નથી.

અચાનક કરોડપતિ બની જાય છે આ તારીખોમાં જન્મેલા લોકો, કોથળા ભરી ભરીને થાય છે ધનની વર્ષા!

Numerology Mulank 4 Prediction: અંકશાસ્ત્ર અનુસાર દરેક સંખ્યાની પોતાની એક અલગ વિશેષતા હોય છે. જન્મ તારીખના આધારે વ્યક્તિના સ્વભાવ, ચારિત્ર્ય, કારકિર્દી અને ભવિષ્યનું મૂલ્યાંકન કરી શકાય છે. આ માટે સૌપ્રથમ જન્મ નંબર પરથી મૂળાંક નંબરની ગણતરી કરવામાં આવે છે. મૂળાંક 1 થી 9 વચ્ચેની કોઈપણ સંખ્યાને રજૂ કરે છે અને તે કોઈક ગ્રહ સાથે સંબંધિત છે. આજે આપણે એવા જ એક ખાસ નંબર વિશે જાણીશું, નંબર 4...જે તેજ બુદ્ધિ અને મહત્વકાંક્ષી વ્યક્તિત્વથી સમૃદ્ધ છે.

કેવી રીતે નક્કી થાય છે મૂળાંક 4 ?
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેમનો મૂળાંક 4 હોય છે. આ મૂળાંકનોસ્વામી રાહુ ગ્રહ છે, જે રહસ્યમય અને અસાધારણ શક્તિઓ સાથે સંકળાયેલો માનવામાં આવે છે.

મહેનતી અને પરિશ્રમી
મૂળાંક 4 વાળા લોકો મહેનતુ હોય છે અને સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે. તેઓ તેમના કામમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને તેને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે. આ કારણોસર તેમના અચાનક અમીર બનવાના ચાન્સ પણ વધુ હોય છે. જો કે કેટલીકવાર આ લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખોટો રસ્તો અપનાવવામાં શરમાતા નથી.

જોખમ ઉઠાવવાનું અનોખું જનૂન
આ મૂલાંકના લોકો જોખમ લેવાથી ડરતા નથી. તેઓ પરિણામોની પરવા કર્યા વિના મોટા નિર્ણયો લે છે. તેમની તેજ બુદ્ધિમત્તા અને અનોખા વિચારોને કારણે તેઓ સામાન્ય લોકો કરતા અલગ રીતે વિચારે છે. આ જ કારણે તેઓ વારંવાર નવી સંભાવનાઓ શોધમાં વ્યસ્ત રહે છે.

મૂળાંક 6 વાળા આ ક્ષેત્રોમાં મેળવે છે સફળતા
કરિયરની વાત કરીએ તો મૂળાંક નંબર 4 ધરાવતા લોકો મીડિયા, રાજકારણ અને કાયદા જેવા ક્ષેત્રોમાં વધુ સફળ હોય છે. તેમની વ્યૂહાત્મક વિચારસરણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમને આ ક્ષેત્રોમાં મહાન ઉંચાઈઓ પર લઈ જાય છે.

ધાર્મિક અને પ્રામાણિક સ્વભાવ
મૂળાંક નંબર 4 વાળા લોકો ધાર્મિક સ્વભાવના હોય છે. તેઓ શિસ્તબદ્ધ અને ઈમાનદાર હોય છે, જેના કારણે તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે. તેમની પ્રભાવશાળી છબી અને મજબૂત પાત્રને કારણેતેઓ ઘણીવાર પ્રભાવશાળી અને રસૂખદાર લોકોની શ્રેણીમાં સામેલ થાય છે.

નિખાલસ અને મદદરૂપ
આ લોકો સીધા અને સ્પષ્ટવાદી હોય છે. તેમને કોઈ પણ સંકોચ વિના પોતાના વિચારો વ્યક્ત કરવાની ટેવ હોય છે. ઉપરાંત તેઓ હંમેશા અન્યને મદદ કરવા માટે તૈયાર હોય છે, જેના કારણે લોકો તેમના પર ભરોસો અને પ્રશંસા કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news