MI vs PBKS: શ્રેયસ ઐયરે IPLમાં રચ્યો સૌથી મોટો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

MI vs PBKS: શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને ટોપ-2માં પહોંચાડીને IPLમાં ઇતિહાસ રચ્યો છે. હવે ઐયર IPLમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.

MI vs PBKS: શ્રેયસ ઐયરે IPLમાં રચ્યો સૌથી મોટો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

IPL 2025 MI vs PBKS: શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી ક્વોલિફાયર 1 રમવા જઈ રહી છે. ગઈકાલે રાત્રે પંજાબે IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે, શ્રેયસ ઐયરે પણ સાબિત કર્યું કે પંજાબ કિંગ્સે આ ખેલાડીને 26.75 કરોડ રૂપિયામાં કેમ ખરીદ્યો હતો? આ સિઝનમાં ઐય્યર માત્ર શાનદાર કેપ્ટનશીપ જ નથી કરી રહ્યો પરંતુ બેટથી પણ ધમાલ મચાવી રહ્યો છે. આ સાથે ઐયરે IPLમાં ઇતિહાસ રચ્યો છે. શ્રેયસ આટલી મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે.

IPLમાં શ્રેયસ ઐયરની મોટી સિદ્ધિ
શ્રેયસ ઐયર IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો અને તેની કેપ્ટનશીપમાં KKR એ ટાઇટલ પણ જીત્યું હતું, તેમ છતાં KKR એ આ ખેલાડીને રિલીઝ કર્યો હતો. હવે ઐયરે પંજાબ કિંગ્સમાં આવીને હલચલ મચાવી દીધી છે. ઐયરે અત્યાર સુધીમાં IPLમાં 3 ટીમોની કેપ્ટનશીપ કરી છે અને પોતાની કેપ્ટનશીપ હેઠળ તેમણે ત્રણેય ટીમોને ટોપ-2માં પહોંચાડી છે.

- Top 2 with Delhi Capitals.
- Top 2 with Kolkata Knight Riders.
- Top 2 with Punjab Kings. pic.twitter.com/HgmabuXyNP

— Johns. (@CricCrazyJohns) May 26, 2025

આવું કરનાર ઐયર IPLમાં પ્રથમ કેપ્ટન બન્યો છે. સૌ પ્રથમ IPLમાં ઐયરે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરવાની તક મળી, ત્યારબાદ ગયા વર્ષે શ્રેયસે KKRનું નેતૃત્વ કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવી, જ્યારે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરીને ઐયરે હવે ટીમને ટોપ-2માં પહોંચાડી દીધી છે.

THIS IS CAPTAIN SHREYAS IYER HERITAGE IN THE IPL. 🥶pic.twitter.com/DKow0elwhj

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2025

પંજાબ કિંગ્સે 7 વિકેટે જીતી લીધી મેચ
IPL 2025 ની 69મી મેચમાં પંજાબ કિંગ્સે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બેટિંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી બોલિંગ કરતી વખતે, અર્શદીપ સિંહ, માર્કો જેનસેન અને વિજય કુમારે 2-2-2 વિકેટ લીધી. આ પછી પંજાબ કિંગ્સે 18.3 ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યું અને મેચ જીતી લીધી. પંજાબ માટે જોસ ઈંગ્લિસે સૌથી વધુ 73 રન બનાવ્યા, આ સિવાય પ્રિયાંશ આર્યએ 62 રન બનાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news