RCBની વિજય પરેડને મળી મંજૂરી...જાણો ક્યાંથી ક્યાં સુધી યોજાશે રોડ શો ?
RCB Victory Parade : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજય પરેડ આખરે મંજૂરી મળી ગઈ છે. હવે ટીમ બેંગ્લોરના રસ્તાઓ પર ટ્રોફી સાથે વિજયની ઉજવણી કરી શકશે, ત્યારે આ લેખમાં જાણીશું કે વિજય પરેડ ક્યાંથી ક્યાં સુધી યોજાશે.
Trending Photos
RCB Victory Parade : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ લાંબા ઈન્તજાર બાદ IPL 2025માં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ જીતની ઉજવણી મેદાનથી ડ્રેસિંગ રૂમ અને પછી હોટેલમાં પણ કરવામાં આવી હતી. હવે બેંગ્લોરમાં વિજયની ઉજવણી કરવાનો વારો છે. આ માટે RCBની વિજય પરેડ યોજાવાની છે.
RCBની વિજય પરેડને મળી મંજૂરી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલું ટાઇટલ જીતીને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. આ ખાસ પ્રસંગે, બેંગ્લોરમાં એક વિજય પરેડ યોજાવાની છે, જેમાં આખી ટીમ તેના ચાહકો સાથે ટ્રોફીની ઉજવણી થશે. બેંગ્લોર પોલીસે વિજય પરેડ માટે પરવાનગી આપી દીધી હોવાનું સામે આવ્યું છે.
🚨 RCB Victory Parade: Today at 5 pm IST. ‼️
Victory Parade will be followed by celebrations at the Chinnaswamy stadium.
We request all fans to follow guidelines set by police and other authorities, so that everyone can enjoy the roadshow peacefully.
Free passes (limited… pic.twitter.com/raJMXlop5O
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
બેંગ્લોરમાં ટ્રાફિક જામ એક મોટી સમસ્યા છે, જેનાથી કોઈ અજાણ નથી. આવી સ્થિતિમાં વિજય પરેડને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા હતી, પરંતુ હવે વિજય પરેડ માટે પરવાનગી મળી ગઈ છે. RCBએ વિજય પરેડ અંગે તાજેતરમાં X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. આ વિજય પરેડ વિધાનસભાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી યોજાશે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે ઉજવણી
આઈપીએલ 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં આરસીબીએ તેની પહેલી આઈપીએલ ટ્રોફી જીતી હતી. મોડી રાત સુધી વિજયની ઉજવણી કર્યા પછી, હવે આરસીબી ટીમ બેંગ્લોર પરત ફરી રહી છે, જ્યાં વિજયની ઉજવણી માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે. વિજય પરેડ બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટ્રોફીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
બેંગ્લોરની ટીમ બપોરે બેંગ્લોર પહોંચશે, ત્યારબાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 5 વાગ્યે સન્માન સમારોહ શરૂ થશે. આ સમારોહ માટે ફક્ત તે ચાહકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે જેમની પાસે પાસ અથવા ટિકિટ હશે. વહીવટીતંત્રે સ્ટેડિયમમાં આવતા ચાહકોને મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસ પાર્કિંગની સુવિધા ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે