આદિવાસી News

આખા દેશમાં માત્ર ગુજરાતમાં અહીં થાય છે હોળિકાના લગ્ન! બોલાય છે રાસગરબાની રમઝટ
Mar 14,2025, 12:06 PM IST
આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે
આદિવાસીઓ અને માલધારીઓને લઇ મોટા સમાચાર આવ્યા છે. સાચા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરાશે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિટીની રચના કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન રચાશે. બે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે. ગીર બરડા અને આલજમાં વસતા માલધારીઓ દ્વારા આ અંગે આંદોલન કરાયું હતું. આદિવાસીઓએ ખોટા પુરાવાના આધારે સરકારી નોકરી મેળવનારની સામે પગલાં ભરવા અને ચકાસણીની માંગ કરી હતી. આદિવાસીઓ અને માલધારી આગેવાનોએ જ્યુડિશિયલ કમિશનની ઈન્ક્વાયરી સોંપવાને લઈ સંમતિ આપી છે.
Jul 8,2020, 14:03 PM IST
કેવડિયા: સરકાર આદિવાસીઓને હોમસ્ટે હેઠળ તમામ રાસ રચીલું વસાવી આપશે
 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં આવતા પ્રવસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફંડમાંથી આ આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની સુવિધા  બનાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલની વાત કરીયે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000 થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમના રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.
Feb 17,2020, 23:49 PM IST

Trending news