VIDEO: સુરત પાટીદાર યુવતીના મૃત્યુ કેસની કાર્યવાહી આગળ વધી, નીલ દેસાઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં ગઈકાલે બનેલી ઘટના જેમાં 19 વર્ષિય શિક્ષિકાએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં પરિવારજનોએ છેલ્લા કેટલાક સમયથી હેરાન કરતા યુવકના કારણે આ પગલુ ભર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. કેસમાં નીલ દેસાઈ નામના યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.