ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ; ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જતાં હોય તો ખાસ વાંચી લજો, ભક્તોમાં ઘસારો

ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીનાં ચાચર ચોકમાં માં અંબાના નામની અખંડ ધુનની શરૂઆત કરવામાં આવી છે. આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે. 

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ; ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જતાં હોય તો ખાસ વાંચી લજો, ભક્તોમાં ઘસારો

ઝી બ્યુરો/અંબાજી: આજથી ચૈત્રી નવરાત્રીનો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રિકોમાં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આમ તો આસો માસની નવરાત્રીમાં નવ દિવસ ગરબાની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીનાં ચાચર ચોકમાં માં અંબાના નામની અખંડ ધુનની શરૂઆત કરવામાં આવી છે. 

આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી આ અખંડ ધુન ભારતદેશની આઝાદી પૂર્વે 1941માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓનાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી. જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જિલ્લાનાં 150 ઉપરાંતનાં શ્રધ્ધાળુંઓનાં સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. 

આગામી સમયમાં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકોનું માનવું છે. અંબાજી અખંડ ધુનમાં આવતા આ યાત્રિકો 9 દિવસ તેલથી બનાવેલું ભોજન જમતા નથી. એટલું જ નહી, આ અખંડ ધુનમાં મહીલાઓને સામેત કરવામાં આવતી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news