ગુજરાતમાં આંદોલન કરવાનો પણ હક નહિ! સરકારે વિરોધ કરી રહેલા 1100 આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કર્યાં
Health Workers Dismissed In Gujarat : આંદોલનકારી આરોગ્ય કર્મચારીઓ સામે લેવામાં આવ્યા પગલાં..1100 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા...4 હજારથી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ...
Trending Photos
Gujarat Health Workers Protest : ગુજરાતના સામુદાયિક કેન્દ્રો અને જિલ્લા પ્રાથમિક કેન્દ્રોમાં ઘણા આરોગ્ય કર્મચારીઓને તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓને કામ પર પાછા ન ફરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઘણા કર્મચારીઓ આ માટે તૈયાર ન હતા, જેના પછી તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે 10 મો દિવસ છે. આજે પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારી એકઠા થયા છએ અને પોતાની માંગ પર અડગ છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચ કરી હતી. 17 માર્ચથી આરોગ્ય કર્મચારી ચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત કર્મચારીઓ હાજર છે.
1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા
આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં યથાવત છે. આંદોલનકારી 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવા આદેશ કર્યો છે. 4000 થી વધુ કર્મચારીઓને ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. આમ, સરકાર આંદોલન કરનારા આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર કડક પગલા લઈ રહી છે.
કર્મચારીઓ હડતાલ પર હતા
તમને જણાવી દઈએ કે આ મામલો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો છે. અહીં 406 આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર હતા. આ લોકો પોતાની માંગણીઓના સમર્થનમાં ગાંધીનગરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. હડતાલ ચાલુ રાખવા અને કામ પર પાછા ન આવવાને કારણે, આ કર્મચારીઓને મંગળવાર 25 માર્ચ 2025 ના રોજ તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
નોટિસ જાહેર કરી
કર્મચારીઓની બરતરફી અંગે સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, 'પેટા કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કર્મચારીઓને નોટિસ પાઠવ્યા બાદ, 116 કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે, તેમ છતાં અન્ય ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ 406 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને 55 જેટલા સુપરવિઝન કર્મચારીઓ સામે ચાર્જશીટ જારી કરવામાં આવી હતી.
કર્મચારીઓની શું માંગ છે
તમને જણાવી દઈએ કે બરતરફ કરાયેલા આરોગ્ય સેવા કર્મચારીઓ ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા, ગ્રેડ પેમાં સુધારો અને વિભાગીય પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. જેના કારણે તેઓ ગાંધીનગરમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી રહ્યા છે. આ કર્મચારીઓ નોટિસ પાઠવ્યા બાદ પણ કામ પર પરત ફર્યા ન હતા.
રાજ્યના વ્યાયામ શિક્ષકો આંદોલનના માર્ગે
શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. વિધાનસભાના ગેટ નંબર ૧ ખાતે ખેલ સહાયકોએ વિરોધ દર્શાવ્યો હતો. વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ખેલ સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ. તેથી ખેલ સહાયકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા.
હવે વ્યાયામ શિક્ષકો લડી લેવાના મૂડમાં! વિધાનસભાના ગેટ નંબર એક ખાતે વિરોધ પ્રદર્શન કરતા થઇ અટકાયત #Gujarat #BreakingNews #News #Gandhinagar pic.twitter.com/4g7aPJvAQ5
— Zee 24 Kalak (@Zee24Kalak) March 26, 2025
વ્યાયામ શિક્ષકોની અટકાયત કરાઈ
વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગર વિધાનસભાના ગેટ નંબર એક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરતા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.
શા માટે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ છે
ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી. તેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે. રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોડષ (SEB) દ્વારા જે ખેલ અખભરુખચ કસોટી (SAT) પરીક્ષા લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે