IAS અધિકારીની અધ્યક્ષતામાં થશે ડીસા આગકાંડની તપાસ, 21 લોકોના મોત બાદ સરકારનો નિર્ણય

બનાસકાંઠાના ડીસામાં મંગળવારે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થવાને કારણે મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.

IAS અધિકારીની અધ્યક્ષતામાં થશે ડીસા આગકાંડની તપાસ, 21 લોકોના મોત બાદ સરકારનો નિર્ણય

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 21 લોકોના જીવ લેનાર આરોપી ખૂબચંદ અને તેના પુત્ર દીપક મોહનાનીની ધરપકડ કરાઈ છે. આ સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું પણ કર્યું હતું. સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.

સરકારે SITની રચના કરી
રાજ્ય સરકારે ડીસાની દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ ખાસ તપાસ દળની રચના કરી છે. IAS ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિટીમાં વિશાલકુમાર વાઘેલા (નાયબ પોલીસ મહાનિરીક્ષક), એચ. પી. સંઘવી (ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર), જે.એ. ગાંધી (ચીફ એન્જિનિયર) ને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ મુદ્દે તપાસ કરશે  સમિતી
- કયા સંજોગોમાં તથા કારણોસર વિસ્ફોટની ઘટના બની હતી?
- જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક તંત્ર પાસેથી યોગ્ય મંજૂરી લીધી હતી કે કેમ?
- ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટે વિસ્ફોટક સામગ્રી સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય છે કે કેમ? જો હા તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી થઈ છે કે કેમ?
- એક્સપ્લોઝિવ એક્ટ, 1884 તથા એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ?
- ફેક્ટરી એક્ટ 1948 હેઠળ તમામ જોગવાઈનું પાલન થયું કે નહીં?
- ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો તથા ચાઈલ્ડ લેબરનું પાલન થયું કે નહીં?
- ફેક્ટરીના સંબંધમાં બાંધકામના નિયમોનું પાલન થયું કે નહીં?
- ફાયર એનઓસીની પરવાનગી હતી કે નહીં?
- સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઈન્સ્પેક્શન કરવામાં આવેલ છે કે કેમ?
- બનાવના સંબંધમાં નિષ્કાળજી/બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓની તપાસ કરવી.

આ તપાસ સમિટીએ 15 દિવસની અંદર રિપોર્ટ સરકારને પરત કરવાનો રહેશે.

ગેરકાયદે ચાલતી ફેક્ટરી
હચમચાવી મુકે તેવા દ્રશ્યો અને તેનાથી વધારે હચમચાવી મુકે તેવી આ ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે...GIDCમાં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા અને પછી એવી આગ લાગી કે તેમાં એક-બે નહીં પણ અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ...જે મોતને ભેટ્યા તે તમામ લોકો મધ્યપ્રદેશના શ્રમિકો હતા...આ શ્રમિકો બે પૈસા કમાવવા માટે બે દિવસ પહેલા જ કંપનીમાં આવ્યા હતા...આ કંપનીએ લાયસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું એટલે કે ફટાકડાનું વેરહાઉસ હતું...અને હા, આ લાયસન્સની તારીખ પણ પત્તી ગઈ હતી એટલે કે રિન્યુ થયું જ નહતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news