Health Tips: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે
Spices For Gut Health: આપણામાંથી ઘણા લોકો ગટ હેલ્થ સંબંધિત સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગટ હેલ્થ સુધારવામાં ઘરના રસોડામાં રહેલા 7 મસાલા મદદ કરી શકે છે. આ મસાલાને ડાયટમાં સામેલ કરવાથી તુરંત અસર જોવા મળે છે.
Trending Photos
Spices For Gut Health: સારી લાઈફ જીવવા માટે સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. આમ તો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવા લાગ્યા છે પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો અનહેલ્ધી ફુડ તરફ લલચાઈ જાય છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તો સૌથી પહેલા ગટ હેલ્થ પર ધ્યાન આપવામાં આવે છે. કહેવાય છે કે જો ગટ હેલ્થ સારી રહે તો બધું જ સારું રહે. પાચન, રોગ પ્રતિકારક શક્તિ, મૂડ, મેટાબોલિઝમ બધું જ સારું રહે છે.
હેલ્થને સપોર્ટ કરે તેવી સપ્લીમેન્ટ હવે તો સરળતાથી મળી રહે છે પરંતુ સપ્લીમેન્ટ વિના પણ તમે ગટ હેલ્થ પર ધ્યાન આપી શકો છો. આ કામમાં ઘરમાં રહેલા મસાલા મદદ કરશે. આજે તમને 7 એવા મસાલા વિશે જણાવીએ જે ગટ હેલ્થ માટે વરદાન છે. આ મસાલા એટલા પાવરફુલ છે કે તેની અસર કેટલીક સમસ્યામાં તુરંત દેખાય છે.
હળદર
હળદર શરીર માટે અમૃત સમાન ઔષધી છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે. તેમાં સોજા રોધી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. હળદરને કાળા મરી સાથે મિક્સ કરીને ખાવાથી બમણો લાભ થાય છે. હળદર ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ અને ઈંફ્લેમેટરી બાઉલ ડિસીઝની સ્થિતિમાં મદદ કરે છે.
આદુ
આદુ પણ ગટ હેલ્થ માટે વરદાન સમાન છે. આદુની મદદથી ઉલટી જેવી સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે. આદુ પાચનમાં મદદરુપ થાય છે અને સોજા ઓછા કરવામાં પણ આદુ મદદ કરે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે આદુનો ઉપયોગ કરવો જોઈએ.
વરિયાળી
વરિયાળી પેટ સંબંધિત સમસ્યા માટે લાભકારી છે. તેનાથી આંતરડાને આરામ મળે છે. સાથે જ પેટ ફુલવું, ગેસ, પાચન સંબંધિત ક્રિયા સુચારુ રીતે થાય તેમાં પણ મદદ કરે છે. જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન સારી રીતે થાય છે.
જીરું
ભારતીય ભોજન જીરા વિના અધુરું છે. જીરું પિત્ત ઉત્પાદન વધારે છે. તે પાચનમાં મદદ કરે છે. નિયમિત સેવનથી તે સોજાથી રાહત આપે છે. જીરું પોષક તત્વોના અવશોષણમાં સુધારો કરે છે. જીરું આયરનનો સારો સોર્સ છે.
ધાણા
ધાણાના બી પાચનમાં મદદ કરે છે. તેનાથી સોજા ઓછા થાય છે અને લિવર તેમજ આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે. ધાણાના બી પાચન તંત્ર માટે લાભકારી સાબિત થાય છે.
અજમા
આયુર્વેદમાં અજમાને ગેસ અને સોજાથી રાહત આપનાર ગણાવેલો છે. જમ્યા પછી અજમો ખાવાથી અપચો થતો નથી. ગટ હેલ્થ સંબંધિત સમસ્યામાં અજમો ડાયટમાં સામેલ કરવો જોઈએ.
કાળા મરી
કાળા મરીનો સ્વાદ તીખો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે કાળા મરી સૌથી સારા છે. આ મસાલામાં પિપેરિન હોય છે. આ મસાલો પાચન સુધારે છે. સાથે જ તે પોષકતત્વોના અવશોષણમાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે