Operation Sindoor: પાકિસ્તાનના ડોઝિયરથી દુનિયા આશ્ચર્યચકિત, ભારતે કહ્યું એના કરતા ઘણી વધુ મચાવી હતી તબાહી
Pakistan Dossier Shows India Struck More Targets Than Revealed: પાકિસ્તાને પોતાના ડોઝિયરમાં પોતે જ કબૂલ કર્યું છે કે ભારતીય સેનાએ જેટલું જણાવ્યું તેના કરતા અનેકગણું નુકસાન કર્યું. ભારતે પાકિસ્તાનમાં ખુબ તબાહી મચાવી. જે ભારતે દુનિયાને જણાવ્યું જ નથી. જાણો વિસ્તૃત માહિતી.
Trending Photos
Operation Sindoor: ઓપરેશન સિંદૂર દ્વારા જે પ્રકારે ભારતે પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી ત્યારબાદ સમગ્ર દુનિયા ભારતના પરાક્રમ પર વાત કરી રહી ચે. જેના વિશે હજુ સુધી રોજેરોજ નવા ખુલાસા થતા રહે છે. આ બધા વચ્ચે એક એવો ખુલાસો થયો છે કે જેને વાંચીને દરેક ભારતીયને ગર્વ થશે. પહેલીવાર પાકિસ્તાને પોતાના જ ડોઝિયરમાં એવો ખુલાસો કર્યો છે જે ખુબ જ મોટો કહી શકાય. તેના વિશે દુનિયાને કદાચ હજુ સુધી ખબર નહતી. અસલમાં ભારતે પાકિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી હતી પરંતુ કેટલી તબાહી થઈ તે ફક્ત ભારતીય સેના તરફથી જણાવવામાં આવેલા આંકડા ઉપર જ નિર્ભર રહ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાને પોતે જ અધિકૃત દસ્તાવેજમાં ખુલાસો કર્યો છે કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જેટલું જણાવ્યું તેના કરતા ઘણા વધારે પાકિસ્તાની ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
ભારતે આ તો જણાવ્યું જ નહીં?
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ઓપરેશન બુરયાન ઉલ મર્સૂસ પર બનેલા આ ડોઝિયરમાં કહેવાયું છે કે ભારતે ઓછોમાં ઓછા આઠ વધારાના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. ડોઝિયરમાં અપાયેલા નક્શા મુજબ ભારતે પેશાવર, ઝાંગ, સિંધના હૈદરાબાદ, પંજાબના ગુજરાત, ગુજરાંવાલા, ભવાલનગર, અટક અને ચોર પર હુમલા કર્યા હતા. ભારતીય વાયુસેના અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલેટ્રી ઓપરેશન્સે ગત મહિને કરેલી પ્રેસ બ્રિફિંગમાં આ જગ્યાઓનો ઉલ્લેખ કર્યો નહતો.
ઓપરેશન સિંદૂરમાં નીકળી પાકિસ્તાનની હવા
આ ખુલાસાથી સ્પષ્ટ છે કે ભારતે જેટલું બતાવ્યું તેનાથી વધુ મોટા હુમલા કરીને પાકિસ્તાનનું કચુંબર કાઢી નાખ્યું હતું. જેનાથી ઓપરેશન સિંદૂરની તાકાતનો નવો પહેલૂ સામે આવ્યો છે. એ પણ સમજી શકાય છે કે કેમ પાકિસ્તાને ભારત પાસે સીઝફાયરની માંગણી કરવી પડી. આ ખુલાસો પાકિસ્તાનના એ દાવાઓને પણ ફગાવે છે જેમાં તેણે ભારતને ભારે નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.
સેટેલાઈટ તસવીરોમાં પાકિસ્તાનની તબાહીના નિશાન
આ અગાઉ મેક્સર ટેક્નોલોજીસની સેટેલાઈટ ઈમેજરીથી ઓપરેશન સિંદૂરના સટીક હુમલાઓનું નુકસાન સામે આવ્યું હતું. ભારતે 7મી મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેમાં બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર અને મુરિદકેમાં લશ્કર એ તૈયબાનું ટ્રેનિંગ સેન્ટર સામેલ હતા. અન્ય ઠેકાણાઓમાં મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલાકોટ, ચકસ્વારી, ભિંબર, નીલમવેલી, ઝેલમ અને ચકવાલ સામેલ હતા.
પાકિસ્તાનની જવાબી કાર્યવાહી અને ભારતનો જવાબ
ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન કહ્યું હતું કે તેણે ફક્ત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પરંતુ પાકિસ્તાને ભારતના સિવિલ અને સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. જવાબમાં ભારતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો. જેમાં નૂરખાન, રફીકી, મુરિદ, સક્ખર, સિયાલકોટ, પસરૂર, ચુનિયા, સરગોધા, સ્કારુ, ભોલારી અને જૈકબાબાદ જેવા 11 એરબેસ સામેલ હતા. ભારે નુકસાન બાદ પાકિસ્તાને ત્રણ દિવસના તણાવ બાદ સીઝફાયર માંગવો પડ્યો. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા કડક સંદેશો આપ્યો છે કે હવે કોઈ પણ આતંકી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ કડક હશે. આ ઓપરેશને ભારતની સૈન્ય તાકાતને સમગ્ર દુનિયામાં દેખાડી દીધી છે કે આ નવું ભારત છે. દુશ્મનને ઘરમાં ઘૂસીને મારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે