IPL 2025 : MS ધોની લેશે નિવૃત્તિ ! માતા-પિતા પહોંચ્યા સ્ટેડિયમ, રિટાયરમેન્ટની અટકળોએ પકડ્યું જોર

MS Dhoni : ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેના માતા-પિતાની હાજરીને કારણે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળોએ જોર પકડ્યું હતું. ધોનીએ 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 267 મેચ રમી હતી. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 237 મેચમાં 4,715 રન બનાવ્યા છે.
 

IPL 2025 : MS ધોની લેશે નિવૃત્તિ ! માતા-પિતા પહોંચ્યા સ્ટેડિયમ, રિટાયરમેન્ટની અટકળોએ પકડ્યું જોર

Ms Dhoni : શું મહેન્દ્રસિંહ ધોની સંન્યાસ લેશે ? શું દિલ્હી કેપિટલ્સ સામેની આજની મેચ તેની શાનદાર IPL કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે ? ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામે મેચ જોવા માટે ધોનીના માતા-પિતા ચેપોક સ્ટેડિયમ પહોંચ્યા છે. આ પછી અટકળોએ જોર પકડ્યું હતું. ધોનીના પિતાનું નામ પાનસિંહ જ્યારે માતાનું નામ દેવકી દેવી છે.

પ્રથમ વખત સ્ટેડિયમમાં માતા-પિતા ?

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સામાન્ય રીતે સ્ટેડિયમમાં જોવા મળે છે. પરંતુ તેમના માતા-પિતા જોવા મળતા નથી. આ જ કારણ છે કે જ્યારે ધોનીના માતા-પિતા સ્ટેડિયમ પહોંચ્યા તો ચાહકોએ તેની નિવૃત્તિ વિશે અટકળો શરૂ કરી દીધી. ધોની આ સિઝનમાં 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે આના પર કહ્યું કે ધોની 10 ઓવર સુધી બેટિંગ કરી શકતો નથી અને તેથી જ તે મોડા બેટિંગ કરવા ઉતરે છે.

 

— Sunil the Cricketer (@1sInto2s) April 5, 2025

મહેન્દ્રસિંહ ધોનીની આઈપીએલ કારકિર્દી

2008માં ડેબ્યૂ કરનાર મહેન્દ્રસિંહ ધોની IPLમાં 267 મેચ રમી ચૂક્યો છે. તેણે 232 ઇનિંગ્સમાં 5,289 રન બનાવ્યા છે. તેની એવરેજ 39.18 છે અને સ્ટ્રાઈક રેટ 137.70 છે. જેમાંથી 237 મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી છે. આમાં તેણે 4,715 રન બનાવ્યા છે. તેની એવરેજ 40.30 અને સ્ટ્રાઈક રેટ 139.46 છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ પ્રથમ સિઝનમાં જ ફાઇનલમાં પહોંચી હતી. 2010માં ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. રોહિત શર્માની સાથે ધોની પણ એવો કેપ્ટન છે જેણે IPLમાં સૌથી વધુ 5 ટ્રોફી જીતી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news