'દેશના હિતોની રક્ષા માટે જે જરૂરી...' ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર સરકારની પહેલી પ્રતિક્રિયા
Trump Tarrif On India: ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પર બુધવારે કેન્દ્ર સરકારે પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે, તેમણે 'દ્વિપક્ષીય વેપાર અંગે અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનની નોંધ લીધી છે અને સરકાર તેના પ્રભાવોનો અભ્યાસ કરી રહી છે.'
Trending Photos
Trump Tarrif On India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ભારત સરકારે જણાવ્યું કે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખીને ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે મજબૂત પગલાં લેશે. ભારતે કહ્યું કે, "સરકાર આપણા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEના કલ્યાણના રક્ષણ અને પ્રોત્સાહનને સૌથી વધુ મહત્વ આપે છે. સરકાર આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે, જેમ કે યુકે સાથેના આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય વેપાર કરારોના કિસ્સામાં કરવામાં આવ્યું છે."
ભારતે કહ્યું કે, વિદેશી ખેલાડીઓ માટે તેના બજારો ખોલવાની સાથે, તે સ્થાનિક ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવા પ્રત્યે પણ સંવેદનશીલ છે. આ માટે ભારતે બ્રિટન સાથેના તાજેતરના મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કર્યો.
ભારતના કયા ક્ષેત્રોને અસર થશે?
ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ નવી ટેરિફ યોજના ભારતના ઘણા બેસ્ટ પ્રદર્શન કરતા નિકાસ ક્ષેત્રોને લાગુ પડશે. ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સૌર મોડ્યુલ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, પસંદગીના પ્રોસેસ્ડ ફૂડ અને કૃષિ ઉત્પાદનો આ બધાને 25 ટકા ટેરિફની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. જો કે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને મહત્વપૂર્ણ ખનિજોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ વચ્ચે અર્થશાસ્ત્રીઓ ભારત દ્વારા અન્ય દેશો સાથે ગાઢ આર્થિક સંબંધો બનાવવા, નવા બજારોની શોધખોળ કરવા અને ઘરે નવી તક જોવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓ દ્વારા પ્રેરિત બદલાતી ભૂરાજનીતિ વચ્ચે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ ફરીથી સંતુલિત થતાં આ સુધારા તરફ દોરી જશે.
શું ઇચ્છે છે અમેરિકા?
અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો અને આનુવંશિક રીતે મોડિફાઈડ પાક માટે બજારો ખોલવા અને તેના પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે, ભારત આ ક્ષેત્રોમાં 100% સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે. ભારત આ માટે સંમત નથી. ભારત સંમત ન થવાનું કારણ એ છે કે ભારતમાં વસ્તીનો મોટો ભાગ આનાથી પ્રભાવિત થશે. આ ખાસ કરીને નાના ખેડૂતોને અસર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે