'જુની બોટલમાં નવો દારૂ...' રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર ECએ કેમ આપ્યો આવો જવાબ?

Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના મત ચોરીના આરોપ પર ચૂંટણી પંચે વળતો પ્રહાર કર્યો છે. પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ ફરીથી એ જ જૂની કહાનીનું પુનરાવર્તન કર્યું છે. 2018માં તત્કાલીન મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે પણ આ જ સૂર ઉઠાવ્યો હતો. હવે રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ખામીઓનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

'જુની બોટલમાં નવો દારૂ...' રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર ECએ કેમ આપ્યો આવો જવાબ?

EC Reply To Rahul Gandhi: રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે મળીને ચૂંટણીમાં ફેરાફેરી કરી રહ્યું છે અને લોકશાહીને કમજોર કરી રહ્યું છે. તેમની આ ટિપ્પણી બાદ ચૂંટણી પંચે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ ફરીથી એ જ જૂની કહાનીનું પુનરાવર્તન કર્યું છે. 2018માં તત્કાલીન મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે પણ આ જ સૂર ઉઠાવ્યો હતો. હવે રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ખામીઓનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

એ જ કરી રહ્યા છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ PC કરીને ફરીથી ઘીસીપીટી કહાનીનું પુનરાવર્તન કર્યું છે. 2018માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજ્યની મતદાર યાદીમાં ભૂલો અંગે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે રાહુલ ગાંધી પણ આ જ કરી રહ્યા છે. 2018માં તેમણે એક ખાનગી વેબસાઇટનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે બતાવી શકાય કે મતદાર યાદીમાં ભૂલો છે.

✅Read in detail in the image given👇 https://t.co/K1sKq1DvbU pic.twitter.com/tdqudyoXU2

— Election Commission of India (@ECISVEEP) August 8, 2025

ચૂંટણી પંચે કહી આ વાત
સાથે-સાથે એમ પણ કહ્યું કે, 36 મતદારોના ચહેરા ફરીથી બતાવવામાં આવ્યા હતા. જ્યારે સત્ય એ હતું કે આ ભૂલ 4 મહિના પહેલા સુધારી લેવામાં આવી હતી. તેની કોપી પાર્ટીને પણ આપવામાં આવી હતી. સાથે જ આ મામલમાં કોર્ટે કમલનાથની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત પંચે લખ્યું છે કે, હવે 2025માં તેઓ આ જાણતા હતા કે, કોર્ટમાં આ ચાલ નથી ચાલી શકતી, આવી સ્થિતિમાં તેમણે દાવો કર્યો હતો કે, એક જ નામ અલગ-અલગ જગ્યાએ છે. જ્યારે જે ત્રણ નામોનો દાવો તેઓ કરી રહ્યા છે તે સુધારી લેવામાં આવ્યા છે અને એક જ મુદ્દાને વારંવાર ઉઠાવીને બતાવવા માંગે છે કે, રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિર્ણયોનું સન્માન કરતા નથી.

રાહુલ ગાંધી પાસે છે બે વિકલ્પો
આ પહેલા ANIએ ચૂંટણી પંચના સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, 'જો (કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા) રાહુલ ગાંધી તેમના વિશ્લેષણ પર વિશ્વાસ રાખે છે અને માને છે કે ચૂંટણી પંચ સામેના તેમના આરોપો સાચા છે, તો તેમને ઢંઢેરામાં સહી કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો રાહુલ ગાંધી ઢંઢેરામાં સહી નહીં કરે, તો તેનો અર્થ એ થશે કે તેઓ તેમના વિશ્લેષણ, તેના તારણો અને વાહિયાત આરોપોમાં વિશ્વાસ રાખતા નથી. આવી સ્થિતિમાં તેમણે દેશની માફી માંગવી જોઈએ. તેથી તેમની પાસે બે વિકલ્પો છે. કાં તો ઢંઢેરામાં સહી કરો અથવા ચૂંટણી પંચ સામે વાહિયાત આરોપો કરવા બદલ દેશની માફી માંગો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news