Malegaon Blast Case: કોણ છે પ્રજ્ઞા સિંહ ઠાકુર? RSS નેતાની હત્યાનો પણ લાગી ચૂક્યો છે આરોપ

Malegaon Blast Case: 17 વર્ષ પછી મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ખાસ NIA કોર્ટ પોતાનો ચુકાદો આપી દીધો છે. ચાલો જાણીએ કે પ્રજ્ઞા સિંહ ઠાકુરની આ કેસમાં ધરપકડ કેમ કરવામાં આવી હતી અને પ્રજ્ઞા સિંહ ઠાકુર કોણ છે?

Malegaon Blast Case: કોણ છે પ્રજ્ઞા સિંહ ઠાકુર? RSS નેતાની હત્યાનો પણ લાગી ચૂક્યો છે આરોપ

Malegaon Blast Case: મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર 2008 ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ પછી ચુકાદો આવ્યો છે. તેમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત 7 આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસનો ચુકાદો મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે આપ્યો છે. માલેગાંવ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તેમણે હંમેશા વિસ્ફોટમાં સામેલ હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. ચાલો જાણીએ કે પ્રજ્ઞા સિંહ ઠાકુર કોણ છે. અને આ કેસમાં તેમની ધરપકડ કેમ કરવામાં આવી?

કોણ છે પ્રજ્ઞા સિંહ ઠાકુર?
પ્રજ્ઞા સિંહ ઠાકુરને સામાન્ય રીતે સાધ્વી પ્રજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે બાળપણથી જ પોતાના વાળ ટૂંકા રાખ્યા છે. સાધ્વી પ્રજ્ઞા કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની સક્રિય સભ્ય હતી. કોલેજ પછી તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વિવિધ સહયોગી સંગઠનોમાં જોડાઈ.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી
આ ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર પર 2008 માં માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં તેમની ધરપકડ પણ કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિસ્ફોટ કરનાર તે બાઇક પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી. આ માટે પોલીસે આતંકવાદના આરોપસર તેમની ધરપકડ કરી હતી. કોર્ટે સ્વાસ્થ્ય કારણોસર તેમના જામીન મંજૂર કર્યા હતા.

RSS નેતાની હત્યા કેસમાં આરોપી
આ ઉપરાંત તેમના પર RSS પ્રચારક સુનીલ જોશીની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. સુનીલ જોશીની હત્યા 29 ડિસેમ્બર 2007 ના રોજ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 લોકો પર હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, ફેબ્રુઆરી 2017 માં કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

પ્રજ્ઞા ઠાકુરને થયું કેન્સર 
સાધ્વી પ્રજ્ઞાને 2008 માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના માટે તેમણે લખનૌના ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં સારવાર લીધી હતી. આ સંસ્થાના કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. એસ.એસ. રાજપૂતે જણાવ્યું હતું કે 2008 માં પ્રજ્ઞા ઠાકુરે તેમના કેન્સરની સારવાર માટે માસ્ટેક્ટોમી કરાવી હતી. સ્તન કેન્સરના ઈલાજ માટે તેમના બે ઓપરેશન થયા હતા. આ સાથે ડૉ. એસ.એસ. રાજપૂતે ગૌમૂત્ર અને પંચગવ્ય કેન્સર મટાડે છે તેવા નિવેદનની ટીકા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news