Health Tips: રાત્રે સૂતા પહેલા ત્રિફળા, વરિયાળી અને અજમાનો પાવડર પીવાથી દુર થશે આ 4 સમસ્યાઓ

Health Tips: ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે લોકોના શરીરમાં ચરબીની સાથે સમસ્યાઓ પણ વધતી જાય છે. 4 સ્વાસ્થ્ય સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવે છે. આ 4 સમસ્યાનું સમાધાન આજે તમને જણાવીએ. શરીરમાં વધતી 4 સમસ્યાને દુર કરવા માટે રાત્રે ત્રિફળા, અજમા અને વરિયાળીનો પાવડર પાણી સાથે લેવો જોઈએ.
 

પાચન તંત્રની તકલીફો દુર કરવા

1/5
image

ત્રિફળા, વરિયાળી, અજમાનો પાવડર લેવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. આ 3 વસ્તુનું ચૂર્ણ લેવાથી પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તે જડમૂડથી મટી જાય છે. આ ચૂર્ણ લેવાથી કબજિયાત, ગેસ, અપચો થતા નથી.  

સ્ટ્રેસ ઘટે છે

2/5
image

વરિયાળી, અજમા અને ત્રિફળા ચૂર્ણ લેવાથી ગરમીમાં શરીરને ઠંડક મળે છે અને નર્વસ સિસ્ટમ પણ શાંત થાય છે. તેનાથી સારી ઊંઘ આવે છે. આ ચૂર્ણ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.   

વજન ઘટે છે

3/5
image

ત્રિફળા, વરિયાળી અને અજમાનું ચૂર્ણ રાત્રે લેવાથી શરીરમાં જામેલું વધારાનું ફેટ ઓગળે છે. તેનાથી પેટ ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી.   

ત્વચા અને વાળને ફાયદો

4/5
image

ત્રિફળા, વરિયાળી અને અજમાનું ચૂર્ણ લેવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે જે ત્વચા પર નિખાર લાવે છે, ખીલ મટાડે છે અને તેનાથી વાળને પણ લાભ થાય છે.   

5/5
image