'હાર્દિક ફૂંક મારી મારીને બદલે છે પરિણામ, અમને હરાવવા કાળી પીચ તૈયાર કરી', પાકિસ્તાન ચેનલનો હાસ્યાસ્પદ દાવો
india pandits black magic: પાકિસ્તાનમાં કંઈ પણ થઈ શકે તે આનાથી મોટું કોઈ ઉદાહરણ નહીં હોય. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું તે આપણા અહીંના પંડિતોએ કાળા જાદૂ અને મેલીવિદ્યાના કારણે થયું છે, ભઈ આવું અમે કહેતા નથી. પેનલના સભ્યો એવું કહેતા જોવા મળ્યા હતા કે પાકિસ્તાની ખેલાડીઓ પર મેલીવિદ્યા કરવા માટે ભારતે 22 પંડિતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Trending Photos
india pandits black magic: ભારતીય ક્રિકેટ ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના મહામુકાબલામાં 22 પંડિતોએ જીત અપાવી છે. આ 22 પંડિતોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યા હતા અને ટીમ ઈન્ડિયા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલા જ 7 પંડિતોએ મેલીવિદ્યાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ 22 પંડિતોએ મળીને પાકિસ્તાનના 11 ખેલાડીઓનું ધ્યાન ભટકાવીને ભારતીય ટીમને જીત અપાવી. અમે આ નથી કહી રહ્યા, પરંતુ આ દાવો એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર કરવામાં આવ્યો છે. તેમની પેનલ અનુસાર ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવવા માટે કાળી પીચ પર તૈયારી કરે છે અને હાર્દિક પંડ્યાએ ફૂંક મારી મારીને મેસને પલટી નાંખી હતી.
વાસ્તવમાં એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ Discover Pakistan TV પર 6 લોકોની પેનલ એકબીજા સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં એક પેનલિસ્ટે દાવો કર્યો છે કે ભારતે 22 પંડિતોને હાયર કર્યા છે, જેઓ ભારતની જીત માટે પાકિસ્તાન ટીમ પર જાદુ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતીય ટીમ પાકિસ્તાન ન આવી. પાકિસ્તાનમાં તેમને એન્ટ્રી મળતી નથી, જ્યારે દુબઈમાં આવું કરવું ભારત માટે સરળ છે.
એટલું જ નહીં બીજા વ્યક્તિનો દાવો છે કે 7 પંડિતો અગાઉથી જ સ્ટેડિયમ પહોંચી જાય છે. તેઓ જાદુ-ટોણા શરૂ કરવાનું શરૂ કરી દે છે. આના પર એક મહિલા એન્કર હાર્દિક પંડ્યા માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે આ બધી યુક્તિઓ અમારી વિરુદ્ધ કામ કરશે નહીં. આવી હાસ્યાસ્પદ વાતો કરતી વખતે તેઓ એકબીજામાં નક્કી કરે છે કે તેઓ પાકિસ્તાન માટે પ્રાર્થના કરશે. જેવા જ તમામ દુઆમાં હાથ ઉઠે છે તો તેમાંથી એક આ વાતને મઝાક બનાવે છે.
બીજી બાજુ, પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન પણ મેચ હારતા સ્ટેડિયમમાં બેસીને દુઆ કરતો જોવા મળ્યો. આ મોમેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વહાબ રિયાજ, આકાશ ચોપડા અને સુરેશ રૈના આ વાત પણ કરી રહ્યા છે. કારમી હાર બાદ શરમથી લાલચોળ થઈ રહ્યા છે પાકિસ્તાની...કેપ્ટન મોહમ્મદ રિઝવાનથી બાબર આઝમ સુધી લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતીય ટીમે પાકિસ્તાને આપેલા 242 રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે 3 જ્યારે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગમાં શુભમન ગિલે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા હતા. તેના સિવાય શ્રેયસ અય્યરે 56 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે