IPLમાં નંબર-1 પર રહેવાનું ગણિત બદલાયું...ટોપ-2 માટેની પોઈન્ટ ગેમ બની રસપ્રદ

IPL 2025 Top-2 Qualification Scenarios : ગુજરાત ટાઇટન્સની સતત બે હાર બાદ પ્લેઓફ માટે ટોપ-2માં રહેવાની શક્યતા ઘટી ગઈ છે. ત્યારે અન્ય ટીમો માટે ટોપ-2માં રહેવાનું ગણિત શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું. 
 

IPLમાં નંબર-1 પર રહેવાનું ગણિત બદલાયું...ટોપ-2 માટેની પોઈન્ટ ગેમ બની રસપ્રદ

IPL 2025 Top-2 Qualification Scenarios : સતત બે હાર બાદ ગુજરાત ટાઇટન્સ માટે ટોપ-2માં રહેવું મુશ્કેલ લાગી રહ્યું છે. ગુજરાતને પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ અને હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ગુજરાત ટાઇટન્સ માટે ટોપની-2માં રહેવાની અને ક્વોલિફાયર-1 માટે સીધા ક્વોલિફાય થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. પરિણામે ગુજરાતે હવે ટોપની બે ટીમોમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. ગુજરાત પાસે ટોપ-2માં રહેવાની માત્ર 41.3% તક બાકી છે. વર્તમાન સમીકરણમાં, અન્ય બે ટીમો ખાસ કરીને બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પાસે ટોપ-2માં પહોંચવાની મજબૂત તક છે. 

સતત બે હાર બાદ ગુજરાતે ટોપ-2માં રહેવા માટે શું કરવું પડશે ?

IPL 2025ની 67મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને 83 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં હલચલ મચાવી દીધી. ગુજરાતની હારથી ટોપ પર રહેવાનું સમીકરણ જટિલ બની ગયું છે. સીએસકે સામેની હાર બાદ ગુજરાતના 14 મેચોમાં 18 પોઈન્ટ છે. CSK સામેની હારથી ગુજરાતના નેટ રન પર પણ અસર પડી છે. હવે ગુજરાતે ટોપ-2માં રહેવા માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેવા માટે ગુજરાતે પ્રાર્થના કરવી પડશે કે બેંગલુરુ તેની છેલ્લી મેચ લખનૌ સામે હારી જાય, જેથી ગુજરાત ટોપ-2માં રહી શકે. કારણ કે મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ જે પણ ટીમ જીતશે તે ક્વોલિફાયર-1માં પહોંચશે. આવી સ્થિતિમાં હવે ગુજરાતે RCBની હાર માટે પ્રાર્થના કરવી પડશે.

પંજાબ કિંગ્સ ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન કેવી રીતે સુરક્ષિત કરશે ?

પંજાબ કિંગ્સને છેલ્લી મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેના માટે ટોપ-2 -માં પહોંચવું મુશ્કેલ બન્યું છે. પંજાબની છેલ્લી મેચ મુંબઈ સાથે છે. હવે જો પંજાબ છેલ્લી મેચ જીતી જાય તો ટીમ 19 પોઈન્ટ સાથે ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લેશે. તેથી પંજાબ કોઈપણ કિંમતે તેની છેલ્લી મેચ જીતવા માંગશે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્વોલિફાયર-1માં પહોંચવાનું સમીકરણ શું છે ?

મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પંજાબ સાથે છે. મુંબઈ ઈન્ડિયન્સ 13 મેચોમાં 16 પોઈન્ટ અને 01.292ના શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ કિંગ્સની હાર સાથે મુંબઈના 18 પોઈન્ટ થશે અને સારા રન રેટ સાથે તેઓ ક્વોલિફાયર-1માં પહોંચશે.

ક્વોલિફાયર-1માં પહોંચવા માટે RCB માટે શું સમીકરણ છે ?

હવે જો RCB પોતાની છેલ્લી મેચમાં લખનૌને હરાવવામાં સફળ રહે છે, તો ટીમ ક્વોલિફાયર-1માં પહોંચશે. હાલમાં, RCBના 13 મેચમાં 17 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.255 છે. જો RCB ક્વોલિફાયર-1માં જવા માંગે છે તો તેને કોઈપણ કિંમતે લખનૌને હરાવવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news