ટ્રમ્પના 25 ટકા ટેરિફ પર ભારતનો જોરદાર જવાબ, અમેરિકા સાથે નહીં કરે આ મોટી ડીલ !
India America Trade Deal: ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર અસંતુલનને ઘટાડવા માટે અમેરિકા પાસેથી કુદરતી ગેસની આયાત, સંદેશાવ્યવહાર સાધનો અને સોનાની ખરીદી વધારવાની શક્યતાઓ શોધી રહ્યું છે.
Trending Photos
India America Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પછી, બંને દેશો વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં સંઘર્ષ જોવા મળ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે આ માટે ભારતની ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. આ દરમિયાન, ભારતે અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ ખરીદવા સંબંધિત સોદો મોકૂફ રાખ્યો છે.
ટ્રમ્પ દ્વારા આ ઓફર ફેબ્રુઆરીમાં આપી હતી
ભારતે અમેરિકાને જવાબ આપીને કહ્યું છે કે તેને હવે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ દ્વારા આ ઓફર ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
ભારતની પ્રાથમિકતા હવે સ્વદેશી ડિઝાઇન પર
સંરક્ષણ સોદાઓમાં ભારતની પ્રાથમિકતા હવે સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન પર કેન્દ્રિત છે. મોદી સરકાર હવે એક એવા સંરક્ષણ મોડેલની શોધમાં છે જે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ભાર મૂકે.
તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી કરશે નહીં
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાત પર તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી કરશે નહીં. તેના બદલે, વ્હાઇટ હાઉસને શાંત કરવા માટે વૈકલ્પિક પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
સોનાની ખરીદી વધારી શકે છે
ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર વોર ઘટાડવા માટે યુએસ પાસેથી કુદરતી ગેસની આયાત, સંદેશાવ્યવહારના સાધનો અને સોનાની ખરીદી વધારી શકે છે.
ભારત રશિયા સાથે શું કરે છે
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-રશિયા સંબંધો વિશે કહ્યું હતું કે, મને ફર્ક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે, તે તેમની મરેલી અર્થવ્યવસ્થાઓ પોતાની સાથે લઈ જવા દો, મને કોઈ પરવાહ નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારત હંમેશા રશિયા પાસેથી તેની લશ્કરી ખરીદીનો મોટો હિસ્સો સંભાળતું રહ્યું છે. તે રશિયાનો સૌથી મોટો ઉર્જા ગ્રાહક પણ છે.
વેપાર વાટાઘાટો
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત હાલમાં વેપાર વાટાઘાટોને ટ્રેક પર રાખવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. જોકે, સંરક્ષણ ખરીદીને હાલ પૂરતું ધ્યાનમાં લેવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે