'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં...' તહેવાર સમયે જ અમદાવાદમાં લાગ્યા વિવાદિત પોસ્ટર

Ahmedabad News: અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પરંતુ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે આ બેનર હટાવડાવી દીધા છે. 

'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં...' તહેવાર સમયે જ અમદાવાદમાં લાગ્યા વિવાદિત પોસ્ટર

Ahmedabad News: ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ સલામત છે અને તેમાંય અમદાવાદ શહેરને મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે. પરંતુ શહેરના અનેક રોડ પર લાગેલા પોસ્ટર્સને લઇને વિવાદ ઊભો થયો છે. વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર પર લાગેલા પોસ્ટરોમાં મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે તેવું લખાણ છે. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થાય તેવું લખાણ લખવામાં આવ્યું હોવાથી ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મુદ્દે વિવાદ સર્જાતા અંતે પોલીસે જ આ પોસ્ટર હટાવડાવી દઇને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે. 

તાજેતરમાં એક ગ્રૂપ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત પોલીસે બેનરની મંજૂરી આપી હતી. જેમાં હેલમેટ, સીટબેલ્ટને લગતા સ્લોગન વાળા બેનરો લગાવવામાં આવ્યા હતા. 

આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'એ... રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો....? અન્ય એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે 'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે.’

આવા લખાણ વાળા પોસ્ટરના ફોટો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ દોડતા થયા હતા. શહેરના સોલા, ચાણક્યપુરી બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા આવા પોસ્ટરોમાં મહિલા સુરક્ષાને લગતા સવાલ ઊભા થાય તેવું લખાણ હોવાથી પોલીસે તાત્કાલિક આ પોસ્ટરો હટાવડાવી દીધા હતા.

આ દેશમાં રહે છે સૌથી વધુ નાસ્તિક લોકો, ભારતનો પડોશી દેશ પણ છે સામેલ;નામ ચોંકાવી દેશે
 
જો કે, આ બેનરોમાં સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ હોવાથી ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં એક ગ્રૂપ દ્વારા જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ બેનરો લગાવ્યા હતા. જેમનો સંપર્ક કરીને આ પોસ્ટર કઢાવી દેવામાં આવ્યા છે. તેમનો આશય એવો હતો કે, કેટલીકવાર અડાલજ આસપાસના વિસ્તારોમાં છોકરા, છોકરીઓ બેસતા હોય અને ચોક્કસ પ્રકારના બનાવો ન બને તે માટે જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કરાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news