નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી મોટી ચેતવણી, મેવાણીને મ્યાનમાં રહેવા સૂચના
Gujarat Congress Politics : નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી મોટી ચેતવણી, જિજ્ઞેશ મેવાણીને મ્યાનમાં રહેવા ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ આપી સૂચના
Trending Photos
Gujarat Byelections : ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
પક્ષની છબી ન ખરડો - પ્રભારી
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે હોદ્દાદાર નેતાઓના વલણથી કોંગ્રેસ નારાજ જોવા મળ્યું છે. કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં પક્ષ વિરુદ્ધ નિવેદનબાજી કરનાર નેતાઓને સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા કે મીડિયામાં પક્ષ અંગે નિવેદનબાજી નહીં કરવા ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ સૂચના આપી છે.
પ્રભારી જિજ્ઞેશ મેવાણીના વલણથી નારાજ
પ્રભારી મુકુલ વાસનિકે નેતાઓને સૂચના આપી કે, નારાજગી હોય તો પક્ષના ફલક પર નારાજગી વ્યક્ત કરો. સોશિયલ મીડિયા પર લખાણ લખી પક્ષની છબીને ના ખરડો. સાથે જ જિગ્નેશ મેવાણીના બેફામ નિવેદનબાજીને લઈ પ્રભારીએ તમામ નેતાઓને ચેતવણી આપી છે. તેમણે દલિત અત્યાચાર મામલે ગુજરાત કોંગ્રેસના વલણથી જીગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત કોંગ્રેસ કોર કમિટી, SC-ST અને માઇનોરિટી સેલની બેઠક મળી હતી. પેટાચૂંટણીની તૈયારીઓ અને જવાબદારીઓ અંગે પ્રભારીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરાઈ હતી. બંને પેટાચૂંટણીમાં જિલ્લા પંચાયતની બેઠકદીઠ જવાબદારી અપાશે.
બેઠક અંગે પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન આપ્યું કે, ચૂંટણી અભિયાનમાં અમે લાગ્યા છીએ, અમને જનતાનું સમર્થન મળશે. જોકે, ગઈકાલે જિજ્ઞેશ મેવાણીના કોંગ્રેસ પરના આક્ષેપો અંગે પ્રભારી મુકુલ વાસનિકે બોલવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, પાર્ટીના આંતરિક મામલે હું કોઈ જવાબ નહીં આપું. પરંતું તેના બાદ તેમની કડક સૂચનાઓ આવી હતી.
જિલ્લા પ્રમુખની જલ્દી નિમણૂંક થશે
કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની જાહેરાતની ડેડલાઈન પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજી જાહેરાત બાકી છે. 31 મે સુધી કોંગ્રેસ જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાના હતા. પેટાચૂંટણી અને નિરીક્ષકોના રિપોર્ટને લીલીઝંડી ના મળતા વિલંબ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું જિલ્લા પ્રમુખોની પસંદગી અંગે કહ્યું કે, જલ્દી જ જિલ્લા પ્રમુખ મામલે અમે નિર્ણય લેવાના છીએ. 31 મે સુધીની અમે વાત કરી હતી, પણ તારીખમાં અંતર રહેવાનું. જિલ્લા પ્રમુખ માટેની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે, જલ્દીથી અમે આ બાબતે નિર્ણય લઈશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે