યુરિક એસિડને મૂળમાંથી નાબૂદ કરવા માટે રામદેવની અચૂક નુસ્ખો, બસ આ જડીબુટ્ટીને પાણી સાથે પીવો
આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડિય છે. યુરિક એસિડને કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. યોગગુરૂ બાબા રામદવે યુરિક એસિડથી છુટકારો મેળવવા માટે એક ઉપાય જણાવ્યો છે.
Trending Photos
Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા સામાન્ય બની ગઈ છે, ખાસ કરીને એવા લોકોમાં જે ઉચ્ચ પ્રોટીન આહાર લે છે અથવા જેમની જીવનશૈલી મોટે ભાગે બેઠાડુ રહે છે. તે શરીરમાં પ્યુરિન નામના તત્વના ભંગાણથી બનેલો કચરો છે, જે મોટી માત્રામાં બને ત્યારે સાંધામાં સ્ફટિકો બનાવે છે અને મજબૂત બને છે. તેની અસર ઘૂંટણ, પગની ઘૂંટી અને આંગળીઓના સાંધામાં દુખાવો, સોજો અને જડતા સ્વરૂપમાં જોવા મળે છે. ક્યારેક સ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે વ્યક્તિ ચાલવામાં પણ અસમર્થ બની જાય છે.
પરંતુ યોગગુરૂ સ્વામી રામદવએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક સરળ અને પ્રાકૃતિક ઉપાય જણાવ્યો છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક જૂના વીડિયોમાટં જણાવ્યું કે ગોખરૂ નામની જડીબુટ્ટી યુરિક એસિડની સમસ્યામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્વામી રામદેવનું કહેવું છે કે ગોખરૂનું પાણી શરીરમાં જમા પ્યુરીનના ક્રિસ્ટલ્સને ઓગાળી યુરિન દ્વારા બહાર કાઢી શકે છે. જો નિયમિત રૂપે તેનું સેવન કરવામાં આવે તો થોડા દિવસમાં અસર જોવા મળે છે.
ગોખરુ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
ગોખરુ એક આયુર્વેદિક દવા છે જે તેના મૂત્રવર્ધક ગુણધર્મો માટે જાણીતી છે. તે શરીરમાંથી વધારાનું યુરિક એસિડ દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તેમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના સોજા અને દુખાવાને પણ ઘટાડે છે. NCBI દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણોમાં ગોખરુનો અર્ક યુરિક એસિડ, લોહીમાં યુરિયા નાઇટ્રોજન અને ક્રિએટિનાઇનનું સ્તર ઘટાડવામાં અસરકારક હતો.
કઈ રીતે કરશો સેવન?
ગોખરૂનું સેવન કરવા માટે તમે તેના એક ચમચી પાઉડરને પાણીમાં નાખી દરરોજ સવારે પી શકો છો. આ સિવાય ગોખરૂની ગોળીઓ પણ મળે છે, જેનું સેવન ડોક્ટરની સલાહથી કરી શકાય છે. થોડા દિવસોમાં, શરીર હળવાશ અનુભવશે અને સાંધાની સમસ્યામાં પણ રાહત મળશે. જો કે આ એક આયુર્વેદિક ઉપાય છે, પરંતુ કોઈપણ નવી વસ્તુ અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે પહેલાથી જ કોઈ દવા લઈ રહ્યા છો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે