ભારતમાં ઘાતક થવા લાગ્યો કોરોના, ગુજરાત સહિત આ 3 રાજ્યોની સ્થિતિ ખરાબ, એક્ટિવ કેસ 5364
Coronavirus Active Cases: સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં છેલ્લા 24 કલાકમાં આશરે 500નો વધારો થયો છે અને આ સંખ્યા વધી 5364 થઈ ગઈ છે.
Trending Photos
Coronavirus Active Cases in India: ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે અને ઘણા મહિના બાદ કોવિડ 19 (Covid-19) ના એક્ટિવ કેસ 5300થી વધુ થઈ ગયા છે. દેશમાં કોરોનાના મામલામાં પ્રથમવાર આટલો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં આશરે 500 કેસનો વધારો થયો છે અને તે વધીને 5364 થઈ ગયા છે, જે 5 જૂને 4866 હતા. 15 દિવસમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં 20 ગણાથી વધુ વધારો થયો છે. મહત્વનું છે કે 22 મેએ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ (Covid-19 Active Case) 257 હતા, જે હવે વધીને 5364 થઈ ગયા છે.
કેરળ, ગુજરાત અને બંગાળમાં સૌથી ખરાબ સ્થિતિ
કોરોના વાયરસનો નવો પ્રકાર ઘણા રાજ્યોમાં ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે અને તેની ઝપેટમાં લઈ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યાં કોવિડ-19ના સૌથી વધુ સક્રિય કેસ છે. નવીનતમ માહિતી અનુસાર, કેરળમાં 1679 કોરોનાવાયરસ દર્દીઓ છે, જેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુજરાતમાં કોરોનાવાયરસના 615, પશ્ચિમ બંગાળમાં 596, દિલ્હીમાં 562 અને મહારાષ્ટ્રમાં 548 સક્રિય કેસ છે.
વર્તમાન લહેરમાં કોવિડ-19ના સૌથી પ્રભાવિત રાજ્ય
રાજ્ય | કોરોનાા એક્ટિવ કેસ |
---|---|
કેરલ | 1679 |
ગુજરાત | 615 |
પશ્ચિમ બંગાળ | 596 |
દિલ્હી | 562 |
મહારાષ્ટ્ર | 548 |
કર્ણાટક | 451 |
તમિલનાડુ | 221 |
ઉત્તર પ્રદેશ | 205 |
રાજસ્થાન | 107 |
જો તમને શરીરમાં દુખાવો, ખાંસી અને તાવ હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો
સર ગંગા રામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પ્રોફેસર ડૉ. એમ. વાલીએ કહ્યું છે કે કોરોનાનો નવો પ્રકાર જીવલેણ નથી, પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો જરૂરી ન હોય તો, ઘરની બહાર ન નીકળો. પોતાને સેનિટાઇઝ કરો અને માસ્ક પહેરો. આ માટે કોઈ રસીની જરૂર નથી. જો તમને શરીરમાં દુખાવો, ખાંસી અને તાવ જેવા લક્ષણો હોય, તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો. ગભરાવાની જરૂર નથી. કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. તે સિંગાપોર, હોંગકોંગ અને ચીનમાં વધુ છે. જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી રહ્યા છો, તો સાવચેત રહેવું અને માસ્ક પહેરવું મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે કોરોનાની સારવાર કેવી રીતે કરવી, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી.
સ્થિતિ નિયંત્રણમાં, પરંતુ સતર્ક રહેવાની જરૂર
કોરોના વાયરસને લઈને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સાવચેચી રાખવાની અપીલ કરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અન કોવિડના લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે