અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર એક શખ્સનો ચોંકાવનારો દાવો, આ બધાએ પાછલા જન્મનું...!
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એક શખ્સે તમામ મૃતકોના પુર્નજન્મ સાથેનો એક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આ બધા લોકોએ સાથે મળીને તેમના પાછલા જન્મમાં એક મોટું જંગલ બાળી નાખ્યું હતું
Trending Photos
Air India Plane Crash : ગત મહિને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા લોકોના મોત થયા હતા. આ ઘટના પર ડૉ. ઉદય શાહે એક વીડિયોમાં એક વિચિત્ર દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, મૃતકોને તેમના પાછલા જન્મના કર્મોની સજા ભોગવવી પડી છે.
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકો મૃત્યુ પામ્યા, જે વિમાનની અંદર હતા. તે જ સમયે, જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન તૂટી પડી ગયું હતું. તેની હોસ્ટેલ બિલ્ડિંગમાં હાજર 20 લોકોનું પણ મૃત્યુ થયું. આ અકસ્માતે આખા દેશને હચમચાવી નાંખ્યો. પરંતુ હવે આ અકસ્માત વિશેની વિવિધ અંધશ્રદ્ધાળુ વાતોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં, ડૉ. ઉદય શાહ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોએ તેમના પાછલા જન્મમાં કરેલા કર્મોનું પરિણામ ભોગવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરતા, મોહમ્મદ ઝુબૈર, જે ફેક્ટ ચેકિંગ વેબસાઇટ ચલાવે છે, તેમણે લખ્યું છે કે, 'ભારતમાં તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી, શ્રીશ્રી અને જગ્ગી કરતાં પણ સારા, જો તેઓ લોકોના ભૂતકાળના જીવનને દોષી ઠેરવતા આવા વધુ વીડિયો બનાવે.'
He has a brighter future in India.
Better than, Dhirendra Shastri, SriSri & Jaggi. Provided he makes more and more such videos blaming past lives of people pic.twitter.com/0qGGfP0KBH
— Mohammed Zubair (@zoo_bear) July 5, 2025
શું દાવો કરવામાં આવ્યો છે?
ડૉ. ઉદય શાહ નામના વ્યક્તિએ પોડકાસ્ટમાં કહ્યું, 'મેં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ભૂતકાળના જીવન જોયા અને મને ખબર પડી કે આ બધા લોકોએ સાથે મળીને તેમના પાછલા જન્મમાં એક મોટું જંગલ બાળી નાખ્યું હતું. તે જીવનના કર્મ ભોગવવા માટે, આ બધા લોકો આ જીવનમાં એક જ જગ્યાએ મળ્યા હતા.' તેમણે દાવો કર્યો છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બધા લોકોને તેમના પાછલા જન્મમાં જંગલ બાળી નાંખવાનો આદેશ આપ્યો હતો, તેથી જ આ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ અકસ્માતમાં બચી ગયેલી વ્યક્તિએ તેના પાછલા જન્મમાં જંગલ સળગાવવાની ઘટનામાં ભાગ લીધો ન હતો. શાહ અહીં જ અટક્યા નહીં, તેમણે દાવો કર્યો કે મોદી તેમના પાછલા જન્મમાં ભીષ્મ પિતામહ હતા. તેમણે આ માટે ઘણી વાહિયાત દલીલો પણ આપી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતીનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે