માણસો તો છોડો પશુ-પક્ષીઓના મનની વાતો જાણી લેશે મહારાષ્ટ્રની ઉમા કર્વે, આ કારણોસર થઈ ફેમસ...
મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે એટલે તે અન્ય વ્યક્તિઓ સાથે સંકળાયેલ રહે છે, વાર્તાલાપ કરે છે પણ મોટાભાગે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શક્તાં નથી. મનને સમજવું એક ગહન વિષય છે. જ્યારે પૂણેની એક રહેવાસી પ્રાણીઓના મનને પણ સમજી શકે છે. તેણી લોકોને પશુઓ સાથે વાત કરવા અને સમજવા પ્રેરિત કરે છે.
Trending Photos
ઉમા કર્વે પશુઓના મનની વાત પણ જાણી શકે છે
મહારાષ્ટ્રના પૂણેની રહેવાસી ઉમા ચર્ચિત બની છે. પશુ મિત્ર ઉમા પશુ-પક્ષીઓની હરકતો અને આદતો જ નહી પણ તેના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણી શકે છે. લોકો જાનવરોની આદતો પરથી તેના સ્વભાવ વિશે જાણે છે પણ ઉમા પશુઓના મનની વાત જાણી તેને સમજે છે. તેણીએ ઘણાં લોકોને પ્રાણીઓ સાથે વાત કરવાની ટ્રેનિંગ પણ આપી છે.
પશુ-પક્ષીઓ સાથે વાતચીત કરવાની કળા
ઉમા કર્વેને બાળપણથી જ પશુ-પક્ષીઓ સાથે લગાવ રહેલ છે. એકવાર તેના પિતા પાલતુ કૂતરાને લઈ આવે છે અને તેનું નામ રાજા રાખે છે. તે આ કૂતરા સાથે દરરોજ વાતચીત કરતી અને ત્યારથી તેને અનુભવ થયો કે આપણે જાનવરો સાથે પણ વાત કરી શકીએ છીએ. બાદમાં ઉમાએ ગાય, ભેંસ, બિલાડી, વાંદરા અને અન્ય પ્રાણીઓ સાથે પણ વાત કરવાનું શરુ કર્યું.
પ્રાણીઓ પણ મનુષ્ય જેવું જ જીવન જીવે છે
ઉમા કહે છે કે જેમ-જેમ તેણીએ પશુ-પક્ષીઓ સાથે સંવાદ કરવાનું શરુ કર્યું, તેમના મનની વાતો સમજાવવા લાગી. એમ થયું કે આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે. પશુ-પક્ષીઓ પણ ઉમ્મીદ અને આશા સાથે જીવે છે. ઉમાએ જાનવરો પરના એક વર્કશોપથી તેની આ કુશળતાને વધુ સારી બનાવી.
આપણા વલણની અસરો તેમના પર પડે છે
ઉમાએ સમજાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં મનુષ્યો સાથે તો વાતચીત કરતાં જ હોય છીએ. એકબીજાના વિચારો આદાન-પ્રદાન થતાં હોય પણ ક્યારેય વિચાર્યું છે કે પશુઓ પણ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે. તેમની સાથેના આપણા સારા વ્યવહારથી મનની વાતો જાણી શકાય છે. જ્યારે આપણા ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે ત્યારે પશુ-પક્ષીઓ પણ ખુશ રહે છે. જો ઘરમાં નકારાત્મક વાતાવરણ રહે તો તેઓ દુ:ખી રહે છે. અહીં ખાસ વાત એ છે કે જ્યારે પણ પશુ-પક્ષીઓને નકારાત્મકતાનો અનુભવ થાય છે ત્યારે તેઓ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. આપણને તે દૂર કરવા પણ જણાવે છે.
માણસો પ્રાણીઓના જીવનને બહેતર બનાવી શકે છે
આજના સમયમાં શહેરીકરણ વધવાથી હરિયાળીને બદલે મોટી-મોટી ઈમારતો જ દેખાય છે જેને કારણે પશુ-પક્ષીઓમાં નારાજગી જોવા મળે છે. ઉપરાંત જાનવરો ક્યારેય ખોટાં ભાવ રજૂ નથી કરી શકતાં. તેમની સાથે ભાવનાત્મક સંબંધનું ઘડતર કરવા આપણે એ પણ વિચારવું જરુરી છે કે તેની આસપાસ રહેતા લોકો તેના વિશે શું વિચારે છે, તેને પસંદ કરે છે કે નહી. પશુ-પક્ષીઓ સાથે વાત કરતાં અને તેમને સમજતાં આપણને જણાય છે કે જો તેમને હૂંફાળું વાતાવરણ મળી રહે તો તેઓ ખુશીથી તેમનું જીવન વિતાવે શકે છે અને તે જવાબદારી આપણા સૌની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે