‘ના પ્લેનમાં ના ફ્યૂલમાં ખરાબી હતી’, તો ભૂલ ક્યાં થઈ? પ્લેન ક્રેશના AAIB રિપોર્ટ પર એર ઈન્ડિયાના CEOનું નિવેદન
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર એર ઇન્ડિયાના સીઈઓએ નિવેદન આપ્યું છે. વિમાનમાં ટેકનિકલ સમસ્યા અને ફ્યૂલની અછત અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે વિમાનમાં કોઈ ખામી નહોતી કે ફ્યૂલની કોઈ અછત નહોતી.
Trending Photos
Air India CEO Statement: અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલ પર એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે બોઇંગ વિમાનમાં કોઈ ખામી નહોતી. પ્રાથમિક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનના જાળવણીમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી. વિમાનને લગતી તમામ ફરજિયાત જાળવણી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વિમાનની ટેકનિકલ તપાસ પણ કરવામાં આવી હતી. વિમાનમાં ભરેલા ઇંધણમાં કોઈ ઉણપ કે ખામી નહોતી. વિમાનના ટેકઓફ રોલમાં પણ કોઈ સમસ્યા નહોતી.
It's pretty awesome how dancing makes robots less intimidating. Looking forward to seeing more nontrivial Machine Learning on these robots. Credit: Boston Dynamics. pic.twitter.com/wnB2i9qhdQ
— Reza Zadeh 🇺🇸 (@Reza_Zadeh) December 29, 2020
બંને પાઇલટ્સે પાસ કર્યો હતો ફિટનેસ ટેસ્ટ
એરલાઇનના સીઇઓ વિલ્સને જણાવ્યું હતું કે 12 જૂને અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટના બંને પાઇલટ્સે વિમાન ઉડાડતા પહેલા બ્રેથલાઇઝર ટેસ્ટ પાસ કર્યો હતો. તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ રિપોર્ટમાં કોઈ નકારાત્મક મુદ્દો નહોતો. એર ઇન્ડિયાના તમામ બોઇંગ-787 વિમાનોની ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA) ની દેખરેખ હેઠળ ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી છે. બધા વિમાનો ઉડાન ભરવા માટે યોગ્ય છે. તેથી, વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડિયાના કાર્યપદ્ધતિ પર ઉઠાવવામાં આવી રહેલા તમામ પ્રશ્નો અને આરોપોને હું સંપૂર્ણપણે નકારી કાઢું છું.
The @PilotsIndian have issued a statement on the Air India #AI171 AAIB report and media assumptions #aviation #avgeeks https://t.co/QVNicaDPKx pic.twitter.com/2m1zrnlCiQ
— Sanjay Lazar (@sjlazars) July 14, 2025
રિપોર્ટના દાવા પર FAA નું નિવેદન
યુએસ ફેડરલ એવિએશન મિનિસ્ટ્રી (FAA) અને બોઇંગ કંપનીએ વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક તપાસ અહેવાલ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. બંનેએ એક નોટિફિકેશન જાહેર કરીને દાવો કર્યો હતો કે બોઇંગ કંપનીના વિમાનોમાં ફ્યુઅલ સ્વીચ લોક સુરક્ષિત છે. AAIB રિપોર્ટમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ ફ્યુઅલ સ્વીચનું કટ-ઓફ હોવાનું જણાવાયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ફ્લાઇટ ટેક-ઓફ થયાના 3 સેકન્ડની અંદર વિમાનનો ફ્યુઅલ સ્વીચ રનથી કટ-ઓફ મોડમાં ગઈ. આ કારણે ફ્યૂલના અભાવે એન્જિન બંધ થઈ ગયું અને વિમાન નીચે પડી ગયું.
VIDEO | Veteran pilot Sharath Panicker reacts to the preliminary AAIB report on Air India AI 171 crash. He says, "the fuel control switches were discovered in the run position. There’s no reason for any pilot to move those switches during the critical phase of flight. At that… pic.twitter.com/lzE8IwWUYY
— Press Trust of India (@PTI_News) July 12, 2025
રિપોર્ટના ખુલાસા પછી મોટો પ્રશ્ન ઉભો થયો
AAIB ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાયલોટે ફ્યુઅલ સ્વીચ ચાલું કરીને વિમાનને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક એન્જિન ચાલું થઈ ગયું, બીજું ચાલું થઈ શક્યું નહીં, પરંતુ રિપોર્ટના ખુલાસા પછી પ્રશ્ન એ ઉભો થયો છે કે સ્વિચ રન મોડથી કટ મોડમાં કેવી રીતે ગઈ? તમને જણાવી દઈએ કે આ અકસ્માત 12 જૂન 2025 ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા. 19 સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. નસીબ જોગે એક મુસાફર બચી ગયો, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી દુનિયા હચમચી ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે