IPL વચ્ચે KKRની 'શરમજનક' હરકત, ચાહકો ભડક્યા, શ્રેયસ ઐયરે આ રીતે આપ્યો જવાબ

Kolkata Knight Riders : શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને IPL 2025ના ક્વોલિફાયર-1માં પહોંચાડ્યું છે. તેણે ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારે હવે કોલકાતાએ એક શરનજનક હરકત કરી છે, જેના કારણે ચાહકો ગુસ્સે થયા છે. 

IPL વચ્ચે KKRની 'શરમજનક' હરકત, ચાહકો ભડક્યા, શ્રેયસ ઐયરે આ રીતે આપ્યો જવાબ

Kolkata Knight Riders : શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ચેમ્પિયન બન્યું હતું. ત્યારે આ વર્ષે ઐયરે પંજાબ કિંગ્સને IPL 2025ની ટોપ-2માં સ્થાન અપાવ્યું છે. ગયા વર્ષે કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. તે જીતના એક વર્ષ પૂર્ણ થવા પર ટીમે 26 મેના રોજ કેટલીક તસવીરો શેર કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકોએ KKRને ટ્રોલ કર્યું છે.

KKR અને ઐયરના સંબંધો તૂટ્યા

ગયા વર્ષે ફાઇનલ જીત્યાના થોડા મહિના પછી કોલકાતાએ ઐયરને ટીમમાંથી મુક્ત કરી દીધો હતો. ફ્રેન્ચાઇઝ અને ખેલાડી વચ્ચે બધું બરાબર નહોતું. આ કારણોસર બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. ઐયરે દુનિયાને કહ્યું હતું કે ગયા વર્ષે KKR સાથે ટાઇટલ જીતવા બદલ તેને પૂરતો શ્રેય મળ્યો નથી. તેણે મેગા ઓક્શનમાં પોતાનું નામ મૂક્યું અને પંજાબે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મુંબઈ સામે IPL 2025ની 69મી મેચના દિવસે કોલકાતાએ તસવીરો શેર કરી હતી અને તેમાંની કેટલીક તસવીરોમાં ઐયરનો સમાવેશ થતો નહોતો. આ પછી સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થયો હતો.  

કોલકાતાની આ પોસ્ટ પર હોબાળો થયો 

KKRએ તેની ટીમના મુખ્ય સભ્યોને દર્શાવતી ગ્રાફિકલ પોસ્ટ કરી. આમાં ફક્ત પૂર્વ કેપ્ટન ઐયર જ નહોતો. કોલકાતાએ ફક્ત તે ખેલાડીઓની પસંદગી કરી જે હજુ પણ તેમની ટીમનો ભાગ છે. તેમાં સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે, પરંતુ ઐયરની બાદબાકીથી ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા.

 

— Karan Singh Dhillon (@karandhillon28) May 26, 2025

 

— Rajiv (@Rajiv1841) May 26, 2025

ઐયરે આ રીતે જવાબ આપ્યો

KKRની પોસ્ટના થોડા કલાકો પછી ઐયરે પંજાબને ક્વોલિફાયર-1માં પહોંચાડ્યું. તેણે મુખ્ય કોચ રિકી પોન્ટિંગનો આભાર માન્યો કે તેણે તેને આગળ વધવા અને પોતાને વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપી. ઐયરે કહ્યું, "રિકી અને મારો છેલ્લા કેટલાક વર્ષોથી સારો સંબંધ છે. તે મને ઘણી સ્વતંત્રતા આપે છે. તે મને મેદાન પર નિર્ણાયક બનવા દે છે. આ બધી બાબતોનું અદ્ભુત રીતે ફળ મળ્યું છે." 

પંજાબના કેપ્ટને વધુમાં કહ્યું, "દરેક ખેલાડી યોગ્ય સમયે આગળ આવ્યા. પહેલી રમતથી જ અમે પરિસ્થિતિ ગમે તે હોય જીતવાની માનસિકતામાં રહ્યા છીએ. જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે પણ અમારા ખેલાડીઓએ સાથ આપ્યો. સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટને પણ અભિનંદન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news