Video : 'અરે, પહેલા મને તો પૂછો', DRSને લઈને બબાલ...લાઈવ મેચમાં શ્રેયસ અય્યર અમ્પાયર પર થયો ગુસ્સે

Shreyas Iyer : શનિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 9 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવ્યું. આ મેચ દરમિયાન એક DRSને લઈને બબાલ થઈ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અમ્પાયર પર ગુસ્સે થયો હતો.

Video : 'અરે, પહેલા મને તો પૂછો', DRSને લઈને બબાલ...લાઈવ મેચમાં શ્રેયસ અય્યર અમ્પાયર પર થયો ગુસ્સે

Shreyas Iyer : 12 એપ્રિલે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે IPLની 27મી મેચ રમાઈ હતી. આ મેચ હાઈસ્કોરિંગ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 246 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો માત્ર 18.3 ઓવરમાં કરી લીધો હતો અને મેચ જીતી લીધી હતી. 

DRS સિગ્નલ પર બબાલ

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સ દરમિયાન પાંચમી ઓવરમાં એવું બન્યું કે મેદાન પરના અમ્પાયરે પંજાબ કિંગ્સના સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના બીજા બોલને વાઇડ જાહેર કર્યો. ગ્લેન મેક્સવેલ આ નિર્ણયથી નાખુશ હતો અને તેણે અમ્પાયર તરફ DRS લેવાનો ઈશારો કર્યો. જ્યારે પણ ફિલ્ડિંગ ટીમ DRSની માંગ કરે છે, ત્યારે મેદાન પરના અમ્પાયર હંમેશા ટીમના કેપ્ટનને પૂછ્યા પછી થર્ડ અમ્પાયરને જાણ કરે છે.

લાઈવ મેચમાં શ્રેયસ અય્યર અમ્પાયર પર ગુસ્સે થયો 

શનિવારે મેદાન પરના અમ્પાયરે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની અવગણના કરી અને ગ્લેન મેક્સવેલના DRS કોલને સ્વીકારી લીધો. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને આ વાત પર ગુસ્સો આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શ્રેયસ અય્યર મેદાન પરના અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો. શ્રેયસ અય્યર ગુસ્સામાં મેદાન પરના અમ્પાયરને કહી રહ્યો હતો, 'અરે, પહેલા મને તો પૂછો'

 

— Follow - @GoatGambhir97 (@hddhdjdjdnxj) April 12, 2025

હૈદરાબાદે પંજાબને હરાવ્યું

તમને જણાવી દઈએ કે અભિષેક શર્માની વિસ્ફોટક સદી અને ટ્રેવિસ હેડ સાથેની સદીની ભાગીદારીને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. IPLના ઈતિહાસમાં લક્ષ્યનો પીછો કરતી વખતે આ બીજી સૌથી મોટી જીત છે. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સે અભિષેક (141)ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ અને હેડ (66) સાથેની 171 રનની ઓપનિંગ ભાગીદારીને કારણે 18.3 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા.

શ્રેયસ અય્યરે 82 રન બનાવ્યા હતા

અભિષેક શર્માની આ સદી IPLમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલા પંજાબે કેપ્ટન શ્રેયસ અય્યરની 36 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 82 રનની ઈનિંગની મદદથી છ વિકેટે 245 રન બનાવ્યા હતા. અય્યરે નેહલ વાધેરા (27) સાથે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી પણ કરી હતી. પ્રભસિમરનસિંહ (42) અને પ્રિયાંશ આર્ય (36)એ શરૂઆતની વિકેટ માટે માત્ર 24 બોલમાં 66 રન જોડીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. માર્કસ સ્ટોઇનિસ (અણનમ 34) એ અંતે ઝડપી ઈનિંગ્સ રમીને ટીમને 240 ની પાર પહોંચાડી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news