Tea Making Mistake: ચા બનાવતી વખતે કરેલી આ ભુલના કારણે ઝેર બની જાય છે ચા, જાણો મસાલા ચા બનાવવાની સાચી રીત
Tea Making Mistake: જો તમે મસાલા ચા ના શોખીન છો તો તમને આ વાત ખબર હોવી જોઈએ. ચા બનાવતી વખતે કરેલી એક ભુલના કારણે ચા નુકસાન કરે છે. આજે તમને ચા બનાવવાની સાચી રીત કઈ છે તે જણાવીએ. આ રીતે ચા બનાવશો તો ચા નો સ્વાદ પણ અનેકગણો વધી જશે.
Trending Photos
Tea Making Mistake: એવા અનેક લોકો હશે જેમના દિવસની શરૂઆત ચા થી થાય છે. ઘણા લોકો તો સવારથી રાત સુધીમાં અનેક કપ ચા ના પી લેતા હોય છે. જેમાં ઓફિસમાં સૌથી વધુ ચા પીવાતી હોય છે. ચા ના શોખીનો એટલા બધા હોય છે કે કોઈ એવી જગ્યા ન હોય જ્યાં તમને ચા ન મળે.
પરંતુ શું તમે જાણો છો કે ચા તમને બીમાર પણ કરી શકે છે ? જો ચા બનાવતી વખતે એક ભૂલ કરી દેવામાં આવે તો જા શરીર માટે ઝેર જેવી બની જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ચા બનાવતી વખતે ઘણા લોકો એવી ભૂલ કરે છે જેના કારણે ચા નુકસાન કરવા લાગે છે. આજે તમને જણાવીએ કે ચા બનાવતી વખતે કઈ ભૂલ ન કરવી અને ચા બનાવવાની સાચી રીત કઈ છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઘણા લોકો ચા બનાવ્યા પછી તેને વારંવાર ઉકાળે છે. એકવાર બની ગયેલી ચા ને વારંવાર ઉકાળીને પીવાથી ચા ઝેર જેવી બનતી જાય છે. એક્સપર્ટ અનુસાર જ્યારે ચા ને વારંવાર ઉકાળવામાં આવે છે તો ચામાંથી ટેનિન વધારે માત્રામાં રિલીઝ થાય છે. ચા માં રહેલુ ટેનિન શરીરમાં થોડી માત્રામાં જાય તો નુકસાન કરતું નથી પરંતુ વધારે પ્રમાણમાં ટેનિન શરીરમાં જતું હોય તો તે નુકસાન કરી શકે છે.
ચા ને વારંવાર ઉકાળીને પીવાથી આ સિવાય ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ થાય છે. જેમાં લીવર અને કિડની પર ખરાબ પ્રભાવ પડવાની સાથે હાર્ટ પર પણ ખરાબ અસર થાય છે. જે લોકોને બ્લોટિંગ અને ગેસની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ આવી ચા ખતરનાક સાબિત થાય છે.
ચા બનાવવાની સાચી રીત
જો તમે ચા પીવાના શોખીન છો તો યોગ્ય રીતે ચા બનાવવાનું પણ શીખી લો. ચા બનાવવા માટે સૌથી પહેલા ચા ના વાસણમાં પાણી ઉકાળવું જોઈએ. પાણી ઉકળી જાય પછી તમને જે પણ મસાલો ઉમેરવો હોય જેમકે લવિંગ, એલચી, તજ, આદુ ઉમેરવા. પાણીમાં મસાલા ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. ત્યાર પછી ઉકળતા પાણીમાં ચા પત્તી ઉમેરો. અને છેલ્લે તેમાં ગરમ દૂધ ઉમેરો. જો ચા માં ખાંડ ઉમેરવી હોય તો ગરમ દૂધ પછી ખાંડ ઉમેરી દેવી અને ચા ને એક થી બે મિનિટ ઉકાળવી. આ રીતે બનાવેલી ચા સ્વાદિષ્ટ પણ લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે