Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના એન્જિન વિશે થયો અત્યંત મોટો ખુલાસો

Ahmedabad Plane Crash: અમદાવાદના સરકાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે ઉડેલું એર ઈન્ડિયાનું વિમાન ગણતરીની પળોમાં મેઘાણીનગર જેવા રહેણાંક વિસ્તારમાં એક મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે અથડાયું અને અનેક લોકોના જીવ ગયા. હવે આ વિમાન વિશે મોટો  ખુલાસો થયો છે. 

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના એન્જિન વિશે થયો અત્યંત મોટો ખુલાસો

અમદાવાદમાં 12 જૂને ભીષણ અકસ્માતનો ભોગ બનેલા એર ઈન્ડિયાના વિમાન અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 12 વર્ષ જૂના આ પ્લેનના જમણી સાઈડના એન્જિનનું હાલમાં જ સમારકામ થયું હતું અને તેને ત્રણ મહિના પહેલા માર્ચ 2025માં બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન માટે ઉડેલું આ વિમાન ગણતરીની પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું જેણે વિમાનમાં સવાર 242માંથી 241 લોકો સહિત 270થી વધુ લોકોના ભોગ લીધા. 

મીડિયા રિપોર્ટમાં સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે એર ઈન્ડિયાના આ વિમાનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સ તપાસ કરાઈ હતી ને આ વર્ષે ડિસેમ્બરમાં તેની તપાસનો આગામી રાઉન્ડ નિર્ધારિત કરાયો હતો. એપ્રિલમાં એર ઈન્ડિયાએ બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર માટે વીમા કવરને 750 કરોડ રૂપિયાથી વધીને 850 કરોડ રૂપિયા કરી દીધુ હતું. 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાણ ભર્યાના ગણતરીની મિનિટો બાદ વિમાન સંખ્યા AI 171 મેઘાણીનગરમાં એક મેડિકલ કોલેજના બિલ્ડિંગ સાથે અથડાયું જેમાં 241 મુસાફરો અને ક્રુ સભ્યો સહિત 270 લોકોના મોત થયા. આ અકસ્મતમાં ભારતીય મૂળના એક બ્રિટિશ નાગરિકનો આબાદ બચાવ થયો. 

એર ઈન્ડિયાના વિમાનમાં જમીન પર પડતા જ જોરદાર ધડાકો થયો અને ભયાનક આગ લાગી હતી. અકસ્માત બાદ વિમાનના કાટમાળમાંથી કાઢેલા મૃતદેહોમાંથી મોટાભાગના ભડથું થઈ ગયા હહતા. જેના કારણે તેમના ડીએનએ મેચ કરાયા બાદ ઓળખ થઈ રહી છે. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news