અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા પર મોટી કાર્યવાહી, DGCAએ ત્રણ અધિકારીઓને હટાવ્યા

DGCA એ આ મામલામાં કાર્યવાહી કરતા એરલાયન્સના ત્રણ અધિકારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા પર મોટી કાર્યવાહી, DGCAએ ત્રણ અધિકારીઓને હટાવ્યા

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DGCA એ આ મામલામાં કાર્યવાહી કરતા એરલાયન્સના ત્રણ અધિકારીઓને હટાવવાનું કહ્યું છે. ક્રૂના ટાઇમ ટેબલમાં પણ અનિયમિતતાના આરોપ લાગ્યા છે. સાથે ક્રૂ રોસ્ટર લગાવવામાં પણ બેદરકારીનો આરોપ છે. ડીજીસીએએ એર ઈન્ડિયાને ગંભીર અનિયમિતતાઓને કારણે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ પ્રભાવથી ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી વારંવારની ઘણી ગંભીર ચૂક અને નિયમોના ઉલ્લંઘન બાદ કરવામાં આવી છે.

આ અધિકારીઓને હટાવવાનો આદેશ
ચુરહ સિંઘ, ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ

પિંકી મિત્તલ, ચીફ મેનેજર, ડીઓપીએસ, ક્રૂ શેડ્યુલિંગ

પાયલ અરોરા, ક્રૂ શેડ્યુલિંગ, પ્લાનિંગ

ઉલ્લંઘનોની વિગતો

આ અધિકારીઓ પર ગંભીર અને વારંવાર ગેરરીતિઓનો આરોપ છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

અનધિકૃત અને બિન-પાલનકારી ક્રૂ જોડી

ફરજિયાત લાઇસન્સિંગ અને નવીનતાના નિયમોનું ઉલ્લંઘન

પ્રોટોકોલ શેડ્યૂલ અને દેખરેખમાં વ્યવસ્થિત નિષ્ફળતાઓ

ડીજીસીએનો નિર્દેશ
DGCA એ તાત્કાલિક અસરથી નીચેના નિર્દેશો જારી કર્યા છે. એર ઇન્ડિયાને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી ઉપરોક્ત અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય અધિકારીઓ સામે આંતરિક શિસ્તભંગની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, અને તેનો અહેવાલ 10 દિવસની અંદર DGCA કાર્યાલયમાં સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સમયપત્રકમાં સુધારો ન થાય ત્યાં સુધી આ અધિકારીઓને બિન-કાર્યકારી ભૂમિકાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, અને આગામી આદેશો સુધી ફ્લાઇટ સલામતી અને ક્રૂ પાલન પર સીધી અસર કરતી કોઈપણ જવાબદારી પર નિયુક્ત કરવામાં આવશે નહીં.

ઉડાન સુરક્ષા પર ભાવ
ડીજીસીએની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે ઉડાન સુરક્ષા નિયમોના અનુપાલનને લઈને કોઈ સમજુતી કરવામાં આવસે. એર ઈન્ડિયાને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે શેડ્યુલિંગ પ્રક્રિયાઓમાં સુધાર કરે જેથી ભવિષ્યમાં આવી ચૂક બીજીવાર ન થાય. આ પગલું ફક્ત એર ઇન્ડિયાના કામકાજને પારદર્શક બનાવવા માટે જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news