ગુજરાતથી શરૂ થઈ સફર, બ્રિટનના રાજકારણમાં દબદબો; મોતના સમાચાર સાંભળતા જ ભાવુક થયા PM

Meghnad Desai Died: ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું છે. મૂળ ગુજરાતના વતની મેઘનાદ દેસાઈ અનેક પ્રતિભાઓના ઘની હતા.

ગુજરાતથી શરૂ થઈ સફર, બ્રિટનના રાજકારણમાં દબદબો; મોતના સમાચાર સાંભળતા જ ભાવુક થયા PM

Meghnad Desai: ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું. મૂળ ગુજરાતના વતની મેઘનાદ દેસાઈ અનેક પ્રતિભાઓ ધરાવતા હતા. અર્થશાસ્ત્રની સાથે રાજકારણ પર ઊંડી પકડ ધરાવતા મેઘનાદ દેસાઈને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્થિક બાબતોના નિષ્ણાત હોવાની સાથે તેમને રાજકારણની પણ ઊંડી સમજ હતી. તેમણે ભારત-બ્રિટન સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 

મેઘનાદ દેસાઈના નિધન પર પીએમ થયા ભાવુક 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું- એક પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી હું દુઃખી છું. ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ તેમની સાથે વિતાવેલા સમયને યાદ કર્યો. તેમણે કહ્યું કે તેઓ હંમેશા તેમની સ્મૃતિમાં જીવંત રહેશે. અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

— Narendra Modi (@narendramodi) July 29, 2025

કોણ હતા મેઘનાદ દેસાઈ 
મેઘનાદ દેસાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૬૦માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, ૩ વર્ષમાં પીએચડી પૂર્ણ કર્યું હતું અને 1991માં સેન્ટ ક્લેમેન્ટ ડેન્સના લોર્ડ દેસાઈ બન્યા હતા. 1965 થી 2003 સુધી, તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 

તેમણે શિક્ષણ અને રાજકારણમાં મોટું યોગદાન આપ્યું હતું. 1992માં તેમણે LSE ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સની સ્થાપના કરી હતી. તેમણે વૈશ્વિકરણ અને બજાર ઉદારીકરણ જેવા વિષયો પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. તેમણે ઘણા મહાન પુસ્તકો લખ્યા હતા. 'માર્ક્સ રીવેન્જ' અને 'ધ રીડિસ્કવરી ઓફ ઈન્ડિયા' જેવા તેમના પુસ્તકો ખૂબ જ લોકપ્રિય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news