Ahmedabad Plane Crash: પહેલા 9 જૂનની ટિકિટ કઢાવી, પછી 11, પછી 12 જૂન...હવે માતાને ન્યાય અપાવવા કોર્ટમાં ગયો પુત્ર
અમદાવાદ વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા કલ્પના પ્રજાપતિના પુત્રએ બોઈંગ વિરુદ્ધ અમેરિકાની કોર્ટમા કેસ દાખલ કર્યો છે. જેથી કરીને જલદી ન્યાય મળી શકે. તેઓ અમેરિકાની કોર્ટમાં એટલા માટે લડી રહ્યા છે કારણ કે ભારતમાં ટ્રાયલમાં ઘણો સમય વીતી શકે છે. દુર્ઘટનાનો ભોગ બનનારા કલ્પના પ્રજાપતિ વિશે પણ ખાસ જાણો.
Trending Photos
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) કરી રહ્યા છે. જેમાં અનેક આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ સહયોગ કરી રહી છે. જેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ પણ આવી ગયો છે. પરંતુ વિસ્તૃત તપાસ ચાલુ છે. આ અકસ્માતનો ભોગ બનેલા પીડિત કલ્પના પ્રજાપતિના પુત્રએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં અમેરિકી વિમાન કંપની બોઈંગ પર કેસ દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી અમેરિકી મીડિયા અને અન્ય એજન્સીઓ આ અકસ્માતની વિસ્તૃત તપાસ રિપોર્ટ સામે આવે તે પહેલા જ અકસ્માત માટે દુર્ઘટનાગ્રસ્ત વિમાન એઆઈ 171ના પાઈલોટ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેથી કરીને બોઈંગ પર કોઈ પણ પ્રકારે આંગળી ન ઉઠે. પરંતુ હવે પીડિત પરિવારે સીધું અમેરિકી કોર્ટમાં જ બોઈંગ પર કેસ ઠોકીને કેસને નવો વળાંક આપ્યો છે.
કોણ છે કલ્પના પ્રજાપતિ
12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન AI 171 ટેકઓફ બાદ ગણતરીની પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ અને વિમાનમાં સવાર 242 લોકોમાંથી 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ ને 19 અન્ય લોકો સહિત 260 લોકોના મોત થયા. જેમાં કલ્પના પ્રજાપતિ પણ સામેલ હતા. કલ્પના પ્રજાપતિ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા હતા. જેઓ વિઝા મળ્યા બાદ પહેલીવાર લંડન જઈ રહ્યા હતા અને પુત્રને મળવા માટે ખુબ ઉત્સાહિત હતા. સવાર સવારમાં પડોશીઓ અને સંબંધીઓને અલવિદા કર્યા હતા અને કહ્યું હતું કે હું લંડન જઈ રહી છું અને મારા ઘરનું ધ્યાન રાખજો.
કલ્પનાબેનના પતિ રાજેન્દ્રભાઈ અને નાનો પુત્ર કલ્પનાબેનને છોડવા માટે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને વડોદરા પાછા ફરી રહ્યા હતા ત્યારે હજુ તો નડિયાદ પહોંચ્યા ત્યાં વિમાન અકસ્માતના સમાચાર મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ કલ્પનાબેનના મિત્ર તેજલ રાણાએ કહ્યું હતું કે તેમની તે દિવસે બપોરે 1.15 વાગે ફોન પર વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે જલદી આવી જશે અને 1.40 તો પ્લેન ક્રેશ થયું.
પુત્રએ કર્યો મશહૂર વકીલ
એએનઆઈ સાથે વાત કરતા હીરે જણાવ્યું કે તેમણે આ કસ માટે મશહૂર વકીલ માઈક એન્ડ્રુઝને હાયર કર્યા છે. જે 65થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હીરે કહ્યું કે અમે માઈક એન્ડ્રુઝને પસંદ કર્યા છે. અમને આશા છે કે વિમાનના બ્લેક બોક્સની જાણકારી જલદી મળશે. જેથી અમે તથા અમારા વકીલ આગળની કાર્યવાહી નક્કી કરી શકે. ભારતમાં કેસ વર્ષો સુધી ચાલે છે આથી અમે અમેરિકામાં કેસ દાખલ કર્યો જ્યાં નિર્ણય જલદી આવી શકે છે.
#WATCH | 12th June Air India plane crash: Hir Prajapati who lost his mother - Kalpana Ben Prajapati, in the crash has moved US Federal Court against Boeing.
He says, "We have hired Mike Andrews. We expect the raw details of information from the black-box to come before us at the… pic.twitter.com/dhkDnKIX8P
— ANI (@ANI) August 12, 2025
હીરે ભારત સરકાર પોલીસ અને ડોક્ટરોનો હ્રદયપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું કે, અમને પૂરેપૂરો ભરોસો છે કે ઈન્સાફ મળશે. અકસ્માત બાદ સરકાર અને પોલીસે અમારી ખુબ મદદ કરી. ડોક્ટરોએ પણ ઝડપથી ડીએનએ ટેસ્ટ કરીને માતાનો મૃતદેહ અમને સોંપી દીધો. હીરે જણાવ્યું કે માતાની ફ્લાઈટ પહેલા 9 જૂનની બૂક કરી હતી, પરંતુ વ્રત હોવાના કારણે 11 જૂન કરી અને પછી ફરી તેમના કહેવા પર 12 જૂનના રોજ શિફ્ટ કરાઈ. તેમણે કહ્યું કે માતા ઓડ તારીખે મુસાફરી કરવા માંગતા ન હતા આથી મે 12 જૂનના રોજ ટિક્ટ બુક કરી પરંતુ તે દિવસે આ અકસ્માત થયો.
અકસ્માતના બે મહિના બાદ પીડિત પરિવારોએ અમદાવાદમાં કેન્ડલ માર્ચ કાઢી. આ દરમિયાન વકીલ માઈક એન્ડ્રુઝે કહ્યું કે આ ત્રાસદી બધા માટે ખુબ દુખદ છે. પરિવારોએ કેન્ડલ માર્ચ કાઢીને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી. અમને તેમાં સામેલ થવાની તક મળી. તેના માટે અમે આભારી છીએ. પરિવાર હવે જવાબ ઈચ્છે છે કે આ અકસ્માત કેવી રીતે થયો. 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 વિમાન (AI-171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડાણ ભરતા જ ક્રેશ થયું. આ અકસ્માતે બધાને આઘાતમાં નાખ્યા. હવે પીડિત પરિવાર ન્યાય અને સચ્ચાઈની શોધમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે