India Pakistan tension: કંઈ મોટું થશે? ગુજરાતના 7 સહિત દેશમાં કુલ 27 એરપોર્ટ બંધ, ભારત-પાકિસ્તાન આમને-સામને!
Operation Sindoor Live: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી રહી છે, સાથે પાકિસ્તાને અત્યાર સુધી કરેલા તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી/અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે રાત્રે પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન, પંજાબ સહિત ઘણી જગ્યાએ હુમલાના પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.
ગુજરાતના 7 સહિત દેશના 27 એરપોર્ટ બંધ
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના 27 એરપોર્ટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સાત એરપોર્ટનો સમાવેશ થાય છે. ધર્મશાળા, હિંદોન, ગ્વાલિયર, કિશનગ્રહ, શ્રીનગર, અમૃતસર, પટિયાલા, શિમલા, ગાગ્ગલ, જૈસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ, લુધિયાણા, ભૂનટર, ભટિંડા, મુંદ્રા, જામનગર, રાજકોટ, પોરબંદર, રાજકોટ, કંડલા, કેશોદ, ભુજ અને ચંદીગઢ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
સરહદ પર ગોળીબારી કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ પર મિસાઇલ છોડી. આને ધ્યાનમાં રાખીને, જમ્મુના આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પંજાબ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સેના અને બીએસએફએ લગભગ 100 કિલોમીટરના સરહદી વિસ્તારોને બંધ કરી દીધા છે.
આ પણ વાંચોઃ India Pakistan tension Live: હર્ષ સંઘવી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા, 18 જિલ્લામાં હાઈ એલર્ટ
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો અને તેના આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. આ પછી, 7-8 મેની રાત્રે, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવ્યો. 8 મેની સવારે, ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો.
ભારતે લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. તે જ સમયે, પાકિસ્તાને સાંજે ફરી એકવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. જમ્મુ એરપોર્ટ પર સતત વિસ્ફોટોના અવાજ આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર બાદ હવે અમૃતસરમાં પણ બ્લેકઆઉટ થઈ ગયું છે. હોટલ અને બજારો જેવી બધી જગ્યાએ લાઇટ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં હાઈ એલર્ટ
ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 18 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં હાઈલેવલ બેઠક ચાલુ
પઠાણકોટ આર્મી કેમ્પ પાસે બે પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દિલ્હીમાં રક્ષા મંત્રાલયની હાઈ લેવલ બેઠક ચાલુ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આ બેઠક ચાલુ છે.
પાકિસ્તાને ક્યારે કર્યો હુમલો?
આ પહેલા પાકિસ્તાને 15 ભારતીય શહેરોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસના થોડા કલાકો પછી જ જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગો પર હુમલો કર્યો હતો. રાત્રે 9 વાગ્યાના થોડા સમય પહેલા જ જમ્મુમાં મોટા વિસ્ફોટો સંભળાયા. બાદમાં સાયરન વાગવા લાગ્યા અને વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સમયગાળાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે