મહેસાણામાં ચાલી રહ્યો છે નકલી પનીરનો વેપાર! 'ભેળસેળિયા' બન્યા ગુંડા, આવા માફિયાઓને કોનો ટેકો?
મહેસાણાના વીજાપુરમાં Z 24 કલાક ટીમે નકલી પનીર તથા ભેળસેળવાળા પામોલિન તેલના ધંધાનો પર્દાફાશ કર્યો. દરમિયાન આ માફિયાઓની ગુંડાગીરી પણ સામે આવી છે. Z 24 કલાકના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ડિવાઈન ફૂડના માલિકે કહ્યું કે હું તો છૂટી જઈશ પરંતુ Z 24 કલાક તમને નહીં છોડે...હવે સવાલ એ ઊઠે છે કે આવા માફિયાને કોનું પીઠબળ મળે છે. હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આવાં ભેળસેળિયાને સજા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.